Sihor
સિહોરના માલધારી પરિવાર ઉપર આફતનું વાદળ ફાટ્યું

- ગાયો ચરાવા ગયેલ કાના ભરવાડના યુવાનની ડુંગર નજીક પાણીના ખાડામાં ગરકાવ લાશ મળી આવી
સિહોરના બ્રહ્મકુંડ વિસ્તારમાં રહેતા સાજણભાઈ ભરવાડનો દિકરો કાનો ગાયો ચરાવા ગયા બાદ ઘરે નહીં આવતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાવતા ધોળીયા ડુંગર નીચે પાણીના ખાડામાંથી કાનાની લાશ મળી આવતા ભરવાડ પરિવાર ઉપર આભ ફાડી પડ્યું હતું. મળતી વિગતો મુજબ જુના સિહોર વિસ્તાર બ્રહ્મકુંડ પાસે રહેતા માલધારી ભરવાડ પરિવાર રામાપીરના મંદિર નીચે રહેતા સાજણભાઈ ભરવાડ રાઠોડ નો દીકરો કાલે સાંજે પાંચ વાગે પોતાના માલ ઢોરને જોવા માટે ડુંગર વિસ્તારમાં ગયો હતો
મોડી રાત સુધી સાજણભાઈ ભરવાડ નો યુવાન દીકરો કાનો પોતાના ઘરે પરત ન ફરતા પોતાના સ્વજનો અને કુટુંબીજનોને જાણ કરતા સાંજે ૬ વાગ્યા પછી તેની શોધ શરૂ કરવામાં આવતા આજુબાજુના વિસ્તારના ડુંગરગાળા તળાવ નદી કિનારા કુવા ડેમ વગેરે વિસ્તારમાં દેખરેખ કરતા આજે બપોરના ૧૩ કલાક બાદ ધ્રુપકા રોડ ઉપર આવેલ ભીડવાળા મેલડીમાં ના મંદિર પાસે આવેલ ધોળીયા ડુંગર નીચે આવેલ ખાડામાં પાણીમાં ગરકાવ થયેલી હાલતમાં આ યુવાનની લાશ ગરકાવ હાલતમાં મળી હતી. સિહોર પોલીસ દ્વારા તાત્કાલિક સેવા સરકારી હોસ્પિટલ લઈ જઈ પીએમ કરવામાં આવ્યું હતું સાજણભાઈ ભોપાભાઈ રાઠોડ ભરવાડ અને સંતાનમાં ચાર દીકરીઓ અને બે ભાઈ મોટો ભાઈ એમા એક ભાઈ મરણ જતા ગરીબ પરિવાર પર આભ ફાટી પડ્યુ