Sihor
સિહોર નગરપાલિકાના ત્રણ કર્મીઓ જીવની પરવા કર્યા વગર પાણીના ધોધની સામે ચાલીને તળાવના દરવાજા બંધ કરે છે

બરફવાળા
સિહોર નગરપાલિકા દ્વારા શહેરની એક લાખની વસ્તીને ગૌતમેશ્વર તળાવમાંથી પાણી પુરૂ પાડવામાં આવી રહેલ છે. આ ચોમાસામાં રાજાધિરાજ મેઘરાજાની મહેરબાનીથી આ ગૌતમેશ્વર તળાવ ઓવરફલો થતા સમગ્ર શહેરમાં ખુશીની લહેર વ્યાપી જવા પામેલ.
છેલ્લા બે વર્ષથી સિહોરનું આ ગૌતમેશ્વર તળાવ ખાલીખમ્મ રહેતુ હતુ. આ વર્ષે કુદરત મહેરબાન થયો છે ત્યારે ગઈકાલે સિહોર સાથે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તળાવ ઓવરફલો થયું હતું. તળાવના તમામ દરવાજાઓ ખુલ્લી જતા હાઇવે પર પાણી ફરી વળ્યાં હતા. ગૌતમેશ્વર તળાવના દરવાજા ઓટોમેટિક ખુલ્લી જતા હોય છે. દરવાજા ખુલતા જ ગૌતમી નદી બે કાંઠે વહેતી થતી હોય છે.
- રાજુભાઈ રાઠોડ
- પ્રફુલભાઈ સરધારા
- મુકેશભાઈ બારૈયા
એ સમયે સિહોરના જીવાદોરી સમાન તળાવ નુ પાણી બચાવવાં ત્રણ કર્મચારી પોતાના જીવ ની પરવા કર્યા વગર આ દરવાજા બંધ કરવા માટે કોઈ પણ સહારા લીધા વગર ઘસમસ્તા પાણીમાં ઉતરી આ દરવાજા બંધ કરતા હોય છે. રાજુભાઈ રાઠોડ, પ્રફુલભાઈ સરધારા, મુકેશભાઈ બારૈયા સહીતના કર્મીઓ જીવની પરવા કર્યા વગર પાણીના ધોધની સામે ચાલીને તળાવના દરવાજા બંધ કરે છે. જે ત્રણેય કર્મીઓને શંખનાદ અભિનંદન પાઠવે છે.