Sihor
સિહોર ; બજારમાં જ બે આખલાઓ યુદ્ધે ચડ્યા, ધમાચકડીમાં લોકોના જીવ તાળવે ચોંટ્યા

દેવરાજc
પંચમુખા મહાદેવ મંદિર પાસે બે આખલાઓ ભર બજારે બાખડ્યાં, જાહેરમાં આખલા યુદ્ધ ખેલાયું, અનેક વાહનો હડફેટ લીધા, અને નુકશાન કર્યું, લોકોમાં ફફડાટ ફેલાયો
સિહોર શહેરમાં જાહેર બજારમાં બે આખલાઓ યુદ્ધે ચડતાં દોડધામ મચી ગઇ હતી. લાંબા સમય સુધી આખલાઓ ના યુદ્ધને કારણે બજારમાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ના જીવ તાળવે ચોંટયા હતા અને બજારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યા છે. ત્યારે શહેરના પંચમુખા મહાદેવ મંદિર પાસે આજે બપોરના સમયે જાહેરમાં બે આખલાઓ બાખડ્યાં હતા.
જાહેરમાં આખલા યુદ્ધ ખેલાતા ઘડીભર માટે વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. તેમજ વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. આંખલાઓના યુદ્ધને લઈને ઘડીભર માટે પોતાના વાહનો રોડ સાઈડ પાર્ક કરવાની ફરજ પડી હતી, અને બન્ને આખલાઓએ અનેક વાહનો હડફેટ લઈ નુકશાન કર્યું હતું. લાંબા સમય સુધી બંને આખલાઓ વચ્ચે જાણે યુદ્ધ જામ્યું હતું. બંને આખલાઓ ની લડાઈને કારણે બજારમાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ના જીવ તાળવે ચોંટયા હતા.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં શહેરી વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર રખડતાં પશુઓનો આતંક વધી રહ્યો છે ત્યારે શહેરમાં પણ છેલ્લા કેટલાક સમયથી જાહેર રસ્તા પર રખડતા પશુઓ નો આતંક વધતો જઈ રહ્યો છે. તેવા સમયે મુખ્ય બજારમાં આવેલ પંચમુખા મહાદેવ મંદિર પાસે બે આખલાઓ તોફાને ચડ્યા હતા. લાંબા સમય સુધી બંને આખલાઓ વચ્ચે જાણે યુદ્ધ જામ્યું હતું. બંને આખલાઓ ની લડાઈને કારણે બજારમાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ના જીવ તાળવે ચોંટયા હતા. તો બજારમાં લારી ધારકો અને અન્ય ફેરિયાઓ મા ભયનો માહોલ છવાયો હતો. લાંબા સમય સુધી બંને આખલાઓ વચ્ચે લડાઈ જામતા સ્થાનિક લોકોએ અને પસાર થતા રાહદારીઓ અને દુકાનદારોએ બંને આખલાઓને છૂટા પાડવા માટે ખૂબ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમ છતાં તોફાને ચડેલા આખલાઓ ની લડાઈ ચાલુ જ રહી હતી.
બે આંખલાઓ વચ્ચે જામેલા આ યુદ્ધને શાંત પાડવા વિસ્તારના વેપારીઓ સહિત રાહદારીઓએ પાણીનો મારો ચલાવ્યો હતો. જેથી બંને આંખલાઓને ભગાડવામાં આવતા વિસ્તારના રહીશો સહિત વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. શહેરમાં દિવસેને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ શહેરીજનો માટે અસહ્ય બની રહ્યો છે. ત્યારે પાલિકાના સત્તાધીશો આખલાઓ અને રખડતા ઢોરોના કારણે કોઈ નિર્દોષ લોકો શિકાર બને તે પહેલા યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી માગ શહેરીજનોમાં પ્રબળ બની છે.