Sihor
સિહોરના નગરજનો માટે રવિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તેમજ સારવાર કેમ્પનું આયોજન

બ્રિજેશ
નૂર હોમિયો કેર એન્ડ જનરલ હોસ્પિટલ આયોજિત સિહોરના યકીનશાહ પીરની દરગાહ ખાતે યોજાશે કેમ્પ, ડો ફિરોઝ એ હાસમાણી તપાસી નિદાન કરશે
સિહોરમાં રવિવારે એક દિવસીય ફ્રી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે. તા. ૧૩ને રવિવારના રોજ સવારે ૯ થી બપોરે ૨ કલાક સુધી નૂર હોમિયો કેર એન્ડ જનરલ હોસ્પિટલ આયોજિત કેમ્પ સિહોરના યકીનશાહ પીરની દરગાહ ખાતે યોજાશે જેમાં ડો ફિરોઝ એ હાસમાણી સારવાર તેમજ ચેકઅપ તપાસી નિદાન કરશે.
કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીને દવા ફ્રી આપવામાં આવશે જે કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે