Connect with us

Sihor

અસામાજિક પ્રવૃત્તિ કરનાર કોઈ ચમરબંધીને છોડાશે નહિ ; પીએસઆઈ ગૌસ્વામી

Published

on

no-one-who-engages-in-anti-social-activities-shall-be-released-from-chamarbandi-psi-gauswami

પવાર

  • સિહોર તાલુકાના ઘાંઘળી ગામે પી.એસ આઈ ગૌસ્વામીના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો

સિહોર તાલુકાના ઘાંઘળી ગામે સિહોર પોલીસ સ્ટેશનના પીઆઇ અધિકારી શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ આજે પીએસઆઈ બી.કે ગૌસ્વામીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત સદસ્ય ભોળાભાઈ ચુડાસમા.તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન ચંદુભાઈ ગોહિલ શ્રી,તેમજ ઘાંઘળી ગામના પૂર્વ સરપંચ શ્રી નીતિનભાઈ પટેલ.

no-one-who-engages-in-anti-social-activities-shall-be-released-from-chamarbandi-psi-gauswami

સહિત તેમજ વિવિધ સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં સમસ્ત ગ્રામજનો,આગેવાનો, મહાનુભાવો,યુવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા પીએસઆઈ બી.કે ગૌસ્વામી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં શાંતિ અને સુખાકારી માટે પોલીસ તંત્ર દ્વારા કાયદાનું ચુસ્ત અમલવારી કરવામાં આવે છે.

no-one-who-engages-in-anti-social-activities-shall-be-released-from-chamarbandi-psi-gauswami

ત્યારે ગ્રામ્ય વિસ્તારો માં અસામાજિક તત્વોએ કે પ્રવુતિઓ છેડતી કે રોમિયોગીરી કરતા હોય કે ખાસ ગરીબ અને મધ્યમ પરિવારના ઓને વ્યાજચક્ર ફસાયા હોય કે ફસાવવામાં આવતા હોય આવા તત્વો ને નશ્યત કરવાનું સરકાર તેમજ સિહોર પોલીસ કટિબદ્ધ છે અને કડકાઈની ભાષા માં PSI ગૌસ્વામી એ શુદ્ધ ભાષા માં કહેલ કે કોઈપણ લેભાગુ તત્વો વ્યાજખોરો હોય કે બહેન દીકરીઓની છેડતી થતી હોય તો સિહોર પોલીસને માહિતી આપો આપની માહિતી ગુપ્ત રહેશે અને કોઈપણ ચમરબંધી ને નહિ છોડવામાં આવે તેવી ચેલેન્જ પણ ફેંકી હતી.

no-one-who-engages-in-anti-social-activities-shall-be-released-from-chamarbandi-psi-gauswami

જેને લઇ ગ્રામજનોએ આ વાતને તાળીઓથી વધાવી હતી કડક પોલીસ અધિકારીઓની છાપ ધરાવતા સિહોર પોલીસ સ્ટેશન ની જુગલ જોડી પોલીસ અધિકારીઓની કડક કામગીરી, ફરજનિષ્ઠા ને લઈ ઉપસ્થિત લોકદરબારમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી

Advertisement
error: Content is protected !!