Sihor
સિહોરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ ઓટલા વાળા મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે
![Navrango Mandvo of Otla Wala Meldi Mataji will be held on Railway Station Road, Sihore.](https://shankhnadnews.com/wp-content/uploads/2023/03/djtyj.jpg)
દેવરાજ
આવતીકાલે યોજાનારા માંડવામાં લોકોએ દર્શન લાભ લેવા અનુરોધ
સિહોરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ ઓટલા વાળા મેલડી માતાજીનો આવતીકાલે 24 કલાકનો નવરંગો માંડવો યોજાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત મુજબ મેલડી માતાજીના ઉપાસક ભુવા એવા કિશોરભાઈ રબારી તેમજ ઓટલા વાળા મેલડી માતાજી મિત્ર મંડળ ગ્રુપ દ્વારા આયોજિત 24 કલાકનો માતાજીનો નવરંગો માંડવાનું ભવ્ય આયોજનમાં મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્યું છે
દરેક ધર્મ પ્રેમી જનતાને ભાવીક ભક્તોને દર્શનનો લાભ લેવા તેમજ માંડવામાં પધારવા માટે રેલવે સ્ટેશન ઓટલા વાળા મેલડી માતાજી ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે