Connect with us

Surat

સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં કીર્તિદાન ગઢવીએ જમાવટ કરી

Published

on

Kirtidan Garhvi deployed in the divine court of Dhirendra Shastri in Surat

કુવાડિયા

કીર્તિદાન ગઢવીના ધૂન-ભજનોથી પ્રભાવીત થઈ બાગેશ્વર ધામ આવવા આમંત્રણ આપ્યું

બાગેશ્વર ધામના પીઠાધીપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો 10 દિવસનો ગુજરાત પ્રવાસ ચાલી રહ્યો છે. હાલ તેઓ સુરતમાં દિવ્ય દરબાર યોજી રહ્યા છે. લાખોની સંખ્યામાં ભકતો ઉપટી પડયા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની એક ઝલક મેળવવા લોકોની લાંબી તકારો લાગી છે. આયોજકો દ્વારા પણ બાગેશ્વર ધામના ધીરેન્દ્રશાસ્ત્રી માટે તમામ વ્યવસ્થાનું ધ્યાન રખાય રહ્યું છે.ત્યારે સુરતના દિવ્ય દરબારમાં કીર્તિદાન ગઢવીએ છવાયા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના પ્રારંભમાં જ પ્રખ્યાત ગાયક કીર્તિદાન ગઢવીએ ભજન ધુન ગાય જમાવટ કરી હતી. તેઓ ભજનો સાંભળી ખુદ ધીરેન્દ્રશાસ્ત્રી પણ મંત્ર મુગ્ધ થઈ ગયા હતા કીર્તિદાન ગઢવીના ભજનોથી અલૌકિક વાતાવરણ સર્જાયું હતું.

Kirtidan Garhvi deployed in the divine court of Dhirendra Shastri in Surat

ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ કીર્તિદાનના બમબમ ભોલે અને મન મોરબની… થનગાટ કરે ગાવાનું કહ્યું હતું.ર્કીતિદાન ગઢવીના ભજનોથી ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રભાવીત થઈ કીર્તિદાનને બાગેશ્વરધામ આવવા આમંત્રણ આપ્યું હતું. ગુજરાતમાં દરેક દિવ્ય દરબારમાં કીર્તિદાનના ભજન ધુન હોવા જોઈએ તેવી ઈચ્છા ધીરેન્દ્ર શાસ્ત્રીએ વ્યકતી કરી હતી. દિવ્ય દરબારના પ્રારંભ અને પુર્ણાહુતિ પૂર્વે કીર્તિદાન ગઢવીએ લોકોને અને બાગેશ્વર બાબાને પોતાના સુરથી તલ્લીન કર્યા હતી. આગામી સમયમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરામાં પણ દિવ્ય દરબાર યોજાશે. હાલ આ તમામ સ્થળોએ બાગેશ્વરધામની ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. વિશાળ સ્ટેજ અને બેસવા માટેની વ્યવસ્થા કરાય રહી છે. આયોજકોનું માનવું છે કે સુરતની જેમ અમદાવાદ, બરોડા, ગાંધીનગર, રાજકોટમાં પણ લોકો ઉમટી પડશે.

Advertisement
error: Content is protected !!