Sihor
નવાનીરની આવક ; સિહોરના ગૌતમેશ્વર તળાવની સપાટી 13.5 ફૂટ પર પહોંચી

બુધેલીયા
સિહોરને પાણી પુરું પાડતા ગૌતમેશ્વર તળાવની સપાટી 13.5 ફૂટે પહોંચી છે. 27.5 ફૂટએ ઓવરફલો થતાં આ તળાવમાં છેલ્લા એક દિવસમાં બે ફૂટ પાણીનો વધારો થયો છે. જો કે હાલ આવક બંધ છે. ગૌતમેશ્વર તળાવમાં સિહોર પંથકના સાગવાડી, બોરડી સહિતના ગામોમાંથી પાણીની આવક થતી હોય છે. ગઈકાલે થયેલા વરસાદના પગલે ગૌતમેશ્વરમાં ગઈકાલ સુધી આવક શરૂ રહી હતી અને સપાટી 13.5 ફૂટથી વધીને 11 ફૂટ થઈ છે.
જોકે મોડી રાતથી આવક બંધ થઈ છે. અને આજે વરસાદ ન હોય સપાટી સ્થિર છે. સામાન્ય રીતે હાલ જે વરસાદ થયો તેટલા વરસાદથી ગૌતમેશ્વરમાં પાણીની સપાટી ૨૦ ફૂટને આંબી જતી હોય છે પરંતુ ગામડાઓમાં થયેલા ચેકડેમમાં પાણી રોકાતા તળાવ સુધી પાણીનો પ્રવાહ પહોંચ્યો નથી જો કે ગામડાઓના આ ચેકડેમમાં પાણીની સારી આવક રહી છે અને તળ પણ ઉંચા આવ્યા છે.