Sihor

નવાનીરની આવક ; સિહોરના ગૌતમેશ્વર તળાવની સપાટી 13.5 ફૂટ પર પહોંચી

Published

on

બુધેલીયા

સિહોરને પાણી પુરું પાડતા ગૌતમેશ્વર તળાવની સપાટી 13.5 ફૂટે પહોંચી છે. 27.5 ફૂટએ ઓવરફલો થતાં આ તળાવમાં છેલ્લા એક દિવસમાં બે ફૂટ પાણીનો વધારો થયો છે. જો કે હાલ આવક બંધ છે. ગૌતમેશ્વર તળાવમાં સિહોર પંથકના સાગવાડી, બોરડી સહિતના ગામોમાંથી પાણીની આવક થતી હોય છે. ગઈકાલે થયેલા વરસાદના પગલે ગૌતમેશ્વરમાં ગઈકાલ સુધી આવક શરૂ રહી હતી અને સપાટી 13.5 ફૂટથી વધીને 11 ફૂટ થઈ છે.

Navaneer's income; The level of Gautameshwar lake in Sihore reached 13.5 feet

જોકે મોડી રાતથી આવક બંધ થઈ છે. અને આજે વરસાદ ન હોય સપાટી સ્થિર છે. સામાન્ય રીતે હાલ જે વરસાદ થયો તેટલા વરસાદથી ગૌતમેશ્વરમાં પાણીની સપાટી ૨૦ ફૂટને આંબી જતી હોય છે પરંતુ ગામડાઓમાં થયેલા ચેકડેમમાં પાણી રોકાતા તળાવ સુધી પાણીનો પ્રવાહ પહોંચ્યો નથી જો કે ગામડાઓના આ ચેકડેમમાં પાણીની સારી આવક રહી છે અને તળ પણ ઉંચા આવ્યા છે.

Exit mobile version