Bhavnagar
ભાવનગરમાં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે કુંડા-માળાનું વિતરણ

દેવરાજ
ભાવનગર શહેરમાં અહેમ યુવા સેવા ગ્રુપ દ્વારા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી પક્ષીઓઅંતે પાણીના કુંડા, માળા- ચકલીના ફીડર ઘર નિ:શુલ્ક આપવામાં આવ્યા હતા. ભાવનગરના દરેક વિસ્તારના લોકો ને લાભ મળે તે માટે આ 27-03-2023 ના પાણી ના કુંડા નંગ 1000, ચકલી ના ઘર નંગ 1000, ચકલી ના ફીડર ઘર નંગ 500 નું નિ:શુલ્ક વિતરણ ઘોઘાસર્કલ ખાતેથી કરવામાં આવેલું હતું.
આ સેવા કાર્યમાં સમીરભાઈ, નિલેશભાઈ, જયેશભાઇ, જીનીતભાઈ, રીંકુબેન, કલ્પાબેન,તૃપ્તિબેન, બીજલબેન, ડિમ્પલબેન, સ્વીટીબેન સહિતના સભ્યો જોડાયા હતા.