Bhavnagar
ભાવનગર કલા સંઘ દ્વારા ચિત્રકારોનું વાર્ષિક કલા પ્રદર્શન યોજાશે
![An annual art exhibition of painters will be organized by the Bhavnagar Kala Sangh](https://shankhnadnews.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-06-at-9.47.10-AM-1.jpeg)
દેવરાજ
ભાવનગર કલાનગરીમાં કલાના વિકાસ અને વિસ્તાર માટે ભાવનગર કલાસંઘ 2011 થી કાર્યરત છે, જે કલા અને તેનાં આનુસંગિક વિકાસ અને વિસ્તરણ થાય તે માટે અનેક કલા વિષયક અનેક પ્રવૃત્તિઓ કરે છે અને દર વર્ષે કલાસંઘ ચિત્રોનું અનેરુ પ્રદર્શન પણ યોજે છે. આ વર્ષે પણ તા. 7 અને 8 મે 2023 શનિ અને રવિ આ કલા પ્રદર્શન ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે યોજાશે.
આ પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ ભાવનગર યુવરાજ જયવીર રાજસિંહજીના વરદ હસ્તે યોજાશે.જ્યારે આ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત મહેમાન તરીકે સર્વ હિમાચલ મહેતા, દેવેનભાઈ શાહ, સાલુબેન બંસલ, ભરત પંડ્યા, બીપીન સોની તથા હેમલ ભટ્ટ ઉપસ્થિત રહેશે. આ પ્રદર્શન ભાવનગરની કલારસિક જનતા માટે બંને દિવસ સવારે 10 થી 1 ખુલ્લુ રહેશે.