Sihor
સિહોર ગોપીનાથજી મહિલા કોલેજના આચાર્ય યોગેશ જોષી PHD થયા

દેવરાજ
ભૌતિકવાદી યુગમાં ઉપકરણોનાં પ્રભાવથી પાશ્ચાત્પ દેશોની વિચારધારા અનુકરણથી અધઃ પતિત ભારતીય સ્ત્રીઓ નૈતિક મૂલ્યો ગરિમાનું પતન થયુ છે. ત્યારે આજે રામાયણ મહાભારત આધારીત આધુનિક સંસ્કૃત સાહિત્યમાં શ્રી રામશંકર અવસ્થીનું “વનદેવી” મહાકાવ્ય પ્રેરણારૂપ ડૉ. યોગેશભાઈ જોષી દ્વારા સંશોધનનું તારણ. તાજેતરમાં સામાન્ય બ્રાહ્મણ પરિવારમાંથી આવતા સિહોર તાલુકાનાં મઢડા ગામના કર્મકાંડી અને પંચાયત સેવક સ્વ. જીતેન્દ્રભાઈ જોષીનાં પુત્ર તેમજ ગોપીનાથજી મહિલા કોલેજનાં આચાર્યશ્રી યોગેશભાઈ જોષી હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટનાં સંસ્કૃત અનુસ્નાતક ભવનમાંથી તેમજ અમરેલી માતૃશ્રી મોઘીબા મહિલા કોલેજનાં આચાર્યશ્રી ડૉ. બી.આર. ચુડાસમાનાં માર્ગદર્શન નીચે આધુનિક સંસ્કૃત સાહિત્યમાં શ્રી રામશંકર અવસ્થી કૃત “વનદેવી”નું કાવ્યપ્રકાશનાં સંદર્ભમાં એક સમીક્ષાત્મક અધ્યયન વિષય પર મહાશોધ નિબંધ લખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેમને Ph.D. ડિગ્રી એનાયત કરી છે.
તેમાં તેમણે રામાયણ પર આધારીત “વનદેવી” મહાકાવ્યમાં સીતા, અહલ્યા, શબરી જેવા પાત્રો અને તેમનુ જીવન વર્તમાન નારીના જીવન માટે પ્રેરણારૂપ છે. તેના ગુણ, ધર્મપરાયણતા, સહિષ્ણુતા, શિષ્ટાચાર, નિર્લોભતા, દાનશીલતા વગેરે ગણોથી ભારતીય સ્ત્રી ઉત્તમ ગૃહસ્થ જીવન સાથ ગૌરવપૂર્ણ સમાજનું નિર્માણ કરી શકે છે.