Sihor
સિહોર ભાજપના બે આગેવાનો ભોપાલમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં સામેલ – જિલ્લામાંથી 6ની પસંદગી

કુવાડિયા
સિહોર ભાજપના વિક્રમભાઈ નકુમ, અને દિપક લકુમ, સહિત જિલ્લામાંથી દિલીપભાઈ શેટા, અશોકભાઈ સોલંકી, નિતુંભા સરવૈયા, વિડી સોરઠીયાની ભોપાલ માટે પસંદગી, આવતીકાલે રાજસ્થાન પ્રચારમાં જોડાશે, આજે ભોપાલમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ હાજરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની 9 વર્ષની ઐતિહાસિક સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડવા માટે ગુજરાતમાંથી પસંદ થયેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગઈકાલે 26 જુન 2023ના રોજ સવારે 10 વાગ્યે ભોપાલ ખાતે પોહચ્યા હતા અને પસંદ થયેલ કાર્યકર્તાઓનો ત્યાં વર્કશોપ યોજવામાં આવ્યો હતો, ત્યારબાદ આજે 27 જુન 2023ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેરા બુથ સબસે મજબૂત વિષય ઉપર કાર્યકર્તા સાથે વાર્તાલાપ કર્યો હતો અને મેરા બુથ સબસે મજબૂતનો મંત્ર આપ્યો હતો ત્યારબાદ પસંદ થયેલ કાર્યકર્તાઓ આવતીકાલે 28 જુન 2023થી 4 જુલાઈ 2023 સુધી 7 દિવસ અલગ અલગ મંડળમાં જઈ બુથ સ્તરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 9 વર્ષ સેવા, સુશાસન,ગરીબ કલ્યાણ જન સંપર્ક અભીયાન અંતર્ગત અને મેરા બુથ સબસે મજબૂત માટે કાર્ય કરશે
5 જુલાઈ 2023નાં રોજ મંડળ સ્તરે બુથના પ્રભારીનું સંમેલનનું આયોજન કરશે અને પ્રધામંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા મંત્રને ઘર ઘર સુધી અને મંડળના કાર્યકર્તા સુધી પોહચાડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશભરમાં ભાજપના 10 લાખ બુથ કાર્યકર્તાઓને વર્ચ્યુલ સંબોધન કર્યું હતું. ભોપાલની મુલાકાત દરમ્યાન આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભોપાલના કાર્યક્રમમાં સિહોરના બે ભાજપ આગેવાન સહિત જિલ્લાના 6 અગ્રણીઓ પણ સામેલ થયા હતા.
સિહોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ નકુમ, અને દિપકભાઈ લકુમ, દિલીપભાઈ શેટા, (વલ્લભીપુર) પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ, અશોકભાઈ સોલંકી (તળાજા) પૂર્વ જિલ્લા ઉપ્રમુખ, નિતુંભા સરવૈયા પૂર્વ જેસર તાલુકા ભાજપ પ્રમુખ, વિડી સોરઠીયા પૂર્વ પ્રમુખ ભાજપ ગારીયાધાર સહિતના સામેલ થયા હતા.આ આગેવાનોને 10 દિવસ માટે બુથ સશકિતકરણની જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત તેઓ આવતીકાલથી રાજસ્થાનમાં ઘેરઘેર સંપર્ક અભિયાન તથા બુથ સશકિતકરણ કાર્યક્રમની જવાબદારી સંભાળશે.
રાજસ્થાન-મધ્યપ્રદેશમાં આગામી મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે પૂર્વે જ સિહોરના બે સહિત જિલ્લાના છ આગેવાનોને ખાસ બુથ સશકિતકરણની જવાબદારી મોકલવામાં આવશે. અને પ્રધાનમંત્રી દ્વારા આપેલ મંત્રને ઘર ઘર સુધી અને મંડલ કક્ષાનાં કાર્યકર્તા સુધી પહોંચાડશે