Sihor
સિહોરના ઈશ્વરિયાના વિદ્યાર્થીઓએ કર્યું ડુંગર વિસ્તારમાં ખાખરાના બીજનું રોપણ

દેવરાજ
- પર્યટન માટે જ નહિ પર્યાવરણ માટે સરકારી શાળાના વિદ્યાર્થીઓએ કર્યું વનભ્રમણ
સિહોરના ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ પર્યટન માટે જ નહિ પણ પર્યાવરણ માટે વનભ્રમણ કાર્યક્રમ ગોઠવી ડુંગર વિસ્તારમાં ખાખરાના બીજનું રોપણ કરેલ છે. વિદ્યાર્થીઓ દ્વારા પ્રકૃતિનો આનંદ માણી શકે અને શિક્ષણ સાથે તેનો અનુબંધ કેળવી શકે તે માટે ઈશ્વરિયા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ઈશ્વરિયાના ડુંગર વિસ્તારમાં શિક્ષકોશ્રી દેવરાજભાઈ ઉકાણી તથા શ્રી નીતેશભાઈ જોષીના માર્ગદર્શન સાથે પર્યટનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યકર્તાશ્રી મૂકેશકુમાર પંડિત પ્રેરિત ‘ધરતીના છોરું’ અભિયાન અંતર્ગત ખાખરા બીજનું રોપણ આ ડુંગર વિસ્તારમાં બાળકોએ કરેલ છે. પર્યટન માટે જ નહિ પણ પર્યાવરણ માટે આ રીતે વનભ્રમણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ હરખ ભેર જોડાયા હતા.