Connect with us

Sihor

સત્ય, પ્રેમ અને કરૂણાનું બેજોડ પ્રતીક એટલે સિહોરનો શુક્લ પરિવાર

Published

on

the-shukla-family-of-sihore-is-a-unique-symbol-of-truth-love-and-compassion

કુવાડિયા

  • પુણ્યનો પહાડ હિમાલય જેવડો થાય ત્યારે ભાગવત કે રામકથા નું આયોજન થાય છે, અજય શુક્લ અને શુક્લ પરિવાર આયોજિત ભુરખિયા મંદિર ખાતે રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞમાં મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ

સિહોરના અજય શુક્લ અને પરિવાર સત્ય, પ્રેમ અને કરૂણાનું બેજોડ પ્રતીક છે તે કહેવું યોગ્ય લાગશે, ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે આવેલ ચિત્રકૂટ ધામમાં સિહોર ના અજયભાઈ શુક્લ પરિવાર આયોજિત રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ ની પોથીયાત્રા ભુરખિયા મંદિરેથી ગાજતે વાજતે ઢોલ તથા ડીજે ના તાલ સાથે વરસતા મેઘ વાદળ ના ગડગડાટ વચ્ચે નીકળી ચિત્રકૂટ ધામ પહોંચી હતી. આ કથા પાલીતાણા કાળ ભૈરવ મંદિર ના મહંત શ્રી રમેશભાઈ શુક્લ ના વ્યાસાસને યોજાય રહી છે

the-shukla-family-of-sihore-is-a-unique-symbol-of-truth-love-and-compassion

ત્યારે પ્રથમ દિવસે શોભાયાત્રા થી પ્રારંભ થઇ હતી સાથે સાથે રામ જન્મ, રામ વિવાહ, શિવ વિવાહ, સુંદરકાંડ સહિત અનેકવિધ કાર્યક્રમો ની વણઝાર શરૂ છે ત્યારે આ કથા ભુરખિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સંતો મહંતોના આશીર્વચન સાથે પ્રારંભ થઇ હતી આ પ્રસંગ દીપાવવા મોંઘીબા જગ્યા ના મહંત જીણારામજી મહારાજ, નાયબ પોલીસ અધિક્ષક મનીષભાઈ ઠાકર, પી એસ.આઈ વી.વી.ધ્રાંગુ, સર્વોત્તમ ડેરી ના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, માર્ગદર્શક અને વડીલ સર્વોત્તમ ડેરીના એમ.ડી.હરિભાઈ જોષી,સિહોર જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ,સામાજિક રાજકીય આગેવાનો,ભુરખિયા સરપંચ,મંદિર ના વહીવટદાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શાસ્ત્રી રમેશભાઈ શુક્લ દ્વારા પોતાના મધુર કંઠે રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ નો લાભ લીધો હતો. સમગ્ર કથા માં શુક્લ પરિવાર દ્વારા આવેલ દરેક મહેમાનો નું ભુરખિયા દાદાની છબી તેમજ સ્મૃતિ ભેટ દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતું

error: Content is protected !!