Sihor
સિહોર નગરપાલિકાના શાસકો અહંકારમાં જીવે છે, આ વખતે સ્થાનિક ચૂંટણીમાં પ્રજા તેમનો મિજાજ બતાવી દેશે ; જયદીપસિંહ ગોહિલ

દેવરાજ
- નગરપાલિકાના વીજ કનેક્શન કાપવાના મામલે જયદીપસિંહ ગોહિલ આકરા તેવરમાં, શાસકોને આડે હાથ લીધા કહ્યું સિહોર નગરપાલિકાના શાસકો અહંકારમાં જીવે છે, વિકાસની પરીક્ષા બરાબરની લેવાય ગઈ
સિહોર નગરપાલિકાનું આજે પીજીવીસીએલ તંત્રએ વિજ કનેક્શન કાપી નાખતા ભારે હોવા મચી છે, સમગ્ર શહેરમાં હડકંપ મચ્યો છે. ત્યારે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી છે અને શાસકોની સામે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. જયદીપસિંહે કહ્યું હતું કે વિકાસનો બુમો ફેક્તા શાશકોએ પોતાનું મોઢું અરીસાની સામે રાખી ઉભું રહેવાની જરૂર છે. સમગ્ર શહેરમાં રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણી, ગટર સહિતના પ્રશ્નોથી લોકો ત્રાહીમામ છે.
લોકો પાણી માટે તોબા પોકારી ઉઠયા છે. લોકો પાયાની પ્રાથમિક સુવિધા માટે ટળવળી રહયા છે. પીવાના પાણી ના ફાંફા પડી રહયા છે. ત્યારે આજે પીજીવીસીએલ તંત્રના કરોડો રૂપિયા બાકી છે જેના લીધે આજે નગરપાલિકાનું પાણી પુરવઠાનું કનેક્શન કાપી નાખ્યું છે, ૨૫-૨૫ વર્ષના શાસનનો અસલી ચહેરો સામે આવી ગયો છે, વિકાસનો પરપોટો ફૂટી ગયો છે. અહીંના શાસકો અહંકારમાં જીવે છે, આ વખતે સ્થાનિક ચૂંટણીમાં પ્રજા તેમનો મિજાજ બતાવી દેશે તે નક્કી છે તેવું ગોહિલે કહ્યું હતું..