Connect with us

Gujarat

પુરુષોતમ માસમાં પીપળાની પૂજાનું મહાત્મ્ય

Published

on

the-mahatmya-of-pipla-puja-in-the-month-of-purushottam

દેવરાજ

પીપળાની પૂજા કરવાથી અગણિત લાભ થાય છે. તેમાં પણ ખાસ કરીને પુરુષોતમ માસ દરમિયાન પીપળાની પૂજા ખાસ કરવી જોઈએ. પીપળામાં વિષ્ણુ ભગવાનનો વાસ ગણાય છે. આથી પીપળાની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની પૂજા કર્યાનું ફળ મળે છે દરરોજ સૌ પ્રથમ પીપળા પાસે જઈ દીવો અથવા અગરબતી કરવી અને ત્યારબાદ લોટામાં જળ અને કાચું દૂધ મિકસ કરી અને પીપળાને ચડાવો, ૐ નમો ભગવતે વાસુદેવાયના જપ કરતા જવા અને ત્યારબાદ પીપળાની ચાર પ્રદક્ષિણશ ફરવી.

the-mahatmya-of-pipla-puja-in-the-month-of-purushottam

સ્કંધ પુરાણમાં જણાવેલ છે પીપળામાં ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજી સાથે બધા જ તીર્થો અને પિતૃઓનો પણ વાસ છે. આથી પીપળાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ સાથે પિતૃ અને લક્ષ્મીજીની પૂજાનું પણ ફળ મળે છે દરરોજ પીપળાને જળ ચડાવવાથી પિતૃદોષ શાંત થાય છે. અને પિતૃ અને તૃપ્તિ મળે છે. શનિવારે પીપળાની પાસે તેલનો દીવો કરી અને ચડાવવાથી શનિદેવની પનોતીનું ફળ હળવું થાય છે. પીપળા નીચે બેસી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે.

error: Content is protected !!