Connect with us

Gujarat

તંત્રને સહકાર આપી સૌ સુરક્ષિત રહેજો : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અપીલ

Published

on

Stay safe by cooperating with the system: Chief Minister Bhupendrabhai Patel's appeal
  • CM આવાસે સર્વપ્રથમ વખત હેમ રેડિયો સ્ટેશન સ્થાપિત, મુખ્યમંત્રી નિવાસેથી હેમ રેડિયો મારફત પણ રાજયભરમાં સંપર્ક કરી શકાશે : ઈખની પરીસ્થિતિ પર સતત નજર

વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ છે. આ દરમિયાન મુખ્યમંત્રી નિવાસ્થાને હેમ રેડિયો સ્ટેશન ઉભુ કરવામાં આવ્યું છે. પ્રથમ વાર રાજ્યના મુખ્યમંત્રીના નિવાસે હેમ રેડિયો સ્ટેશન શરૂ કરાયું છે. સ્ટેટ કન્ટ્રોલ રૂમ ખાતે પણ હેમ રેડિયો સ્ટેશન અને એસડીઆરએફનું વાયરલેસ સ્ટેશન ઊભું કરાયું છે. બિપરજોય વાવાઝોડાને પગલે ભારે પવનોથી ટાવરો અને વીજળીને અસર થવાને લઈ કનેક્ટિવિટી બંધ થવાના સંજોગોમાં આ સ્ટેશનો ઉપયોગી થશે. હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ કનેક્ટિવિટી બંધ થવાને લઈ મુખ્યમંત્રી નિવાસસ્થાને હેમ રેડિયો સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કોઈપણ સમયે નિવાસ્થાને થી જ તમામ પ્રશાસન સાથે સંપર્કમાં રહી શકે તે માટે સ્ટેશન ઊભું કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયા કાંઠા વિસ્તારના ગામડાઓમા સીધો સંપર્ક કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં દરિયાકાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદાને પગલે નાગરિકોને સુરક્ષા-સલામતી માટે વહીવટી તંત્રનો સહયોગ કરવા અપીલ કરી છે.

Stay safe by cooperating with the system: Chief Minister Bhupendrabhai Patel's appeal

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે બિપરજોય વવઝોડાની આ સંભવિત આપદાને પહોંચી વળવા રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં જે આગોતરૂ આયોજન કર્યું છે તેની વિગતો આપી હતી. ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કરેલી અપિલમાં જણાવ્યું કે, ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ-રાહત, પૂન:વ્યવસ્થાપનના આયોજન સુનિશ્ચિત કરી લીધા છે. મુખ્યમંત્રીએ નાગરિકોને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત અપાતી સૂચનાઓ-નિર્દેશીકાનું પાલન કરવાની પણ અપીલ કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ખાસ કરીને ભારે વરસાદ અને તિવ્ર પવનની આગાહીને પગલે બને ત્યાં સુધી ઘરમાં જ સલામત રહીએ અને બહાર નિકળવાનું ટાળીએ. વૃક્ષ નીચે, થાંભલાઓ પાસે કે જુના જર્જરીત મકાનોમાં આશ્રય લેવાનું ટાળીએ. વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડીએ નહી અને વીજ થાંભલાથી દૂર રહીએ. મુખ્યમંત્રીએ સૌને જરૂરિયાતના સમયે સ્થળાંતર માટે તંત્રનો સહયોગ કરવા અને સૂચનાઓનું પાલન કરી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સલામતી, સાવચેતી અને અગમચેતી એ જ આવી આપદાઓ સામે ટકી રહેવાનો યોગ્ય માર્ગ છે અને આવા સમયે રાજ્ય સરકાર દિવસરાત સૌની સલામતિ માટે સેવારત છે.

error: Content is protected !!