Sihor
શિક્ષણ થકી વિકાસ માટે સમાજની પણ જવાબદારી : સિહોર શ્રી આહિર સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા રાહત દરે નોટબુક વિતરણ

પવાર
વિકાસ પામવા માટે શિક્ષણ નું પ્રમાણ વઘે, શિક્ષણ ની ગુણવતા સુધરે તેની આવશ્યકતા સહુ કોઇ સ્વીકારે છે. પ્રત્યેક ભારત વાસી પ્રત્યેક મા-બાપ અને પ્રત્યેક સમાજ આજે શિક્ષણનાં મહત્વને આજે સ્વીકાર કરે છે. બીજી તરફ શિક્ષણનાં સ્તર માટે ચિંતા કરે છે. બળાપો કાઢે છે. વખતો વખત શિક્ષક વર્ગ સરકારી તંત્ર ને દોષિત પણ ગણે છે.
ત્યારે શિક્ષણરથના મહત્વનાં ચક્ર પાલક માં-બાપ અને સમાજ પણ છે. શિક્ષણ થકી જ વિકાસ માટે સમાજની પણ જવાબદારી છે જે સિહોર શ્રી આહિર સમાજ સેવા ટ્રસ્ટ સારી રીતે બજાવે છે દર વર્ષની માફક આ વર્ષે પણ રાહતદરે નોટબુક વિતરણ કરી શિક્ષણ થકી જ વિકાસ માટેની જવાબદારી સ્વીકારી છે.
આમ તો યદુવંશી ક્ષત્રિય આહિર સમુદાયનો અતિ પ્રાચીન અને ભવ્ય ઇતિહાસ રહેલો છે. ભગવત ગીતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનું પણ પાલન પોષણ આહિરોને ત્યાં થયું હતું. આહિરો ભગવાન શ્રી કૃષ્ણના વંશજ તરીખે ઓળખાય છે.
માન, મર્યાદા, મોભો અને બલિદાન આહિર સમાજની એક આગવી ઓળખ રહી છે અને એટલે જ આશરો તો આહિરનો કહેવાય છે.
આવનારી યુવા પેઢી આહિર સમાજનો ઉજળો ઇતિહાસ જાળવી શકે તે હેતુથી આયોજન ટેકનોલોજી સાથે હરણફાળ ભરી રહેલા સાંપ્રત સમયમાં સમયની સાથે તાલથી તાલ મિલાવવાની સાથે આહિર સમાજનો ભવ્ય અને પ્રાચીન સાંસ્કૃતિક વારસો વિસરાઈ નહીં તે પણ અતિ આવશ્યક છે.
ત્યારે આહિર સમાજની પ્રાચીન પરંપરાને ઉજાગર કરવાની સાથે વર્તમાન અને આવનારી યુવા પેઢી આહિર સમાજનો ઉજળો ઇતિહાસ જાળવી શકે તેવા ઉમદા હેતુ સાથે આહિર સમાજ સેવા ટ્રસ્ટ સમાજલક્ષી અનેક સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલી આહીર સમાજની સંસ્થા છે અને જે ખાસ શિક્ષણ પર વધુ ભાર આપી રહી છે