Sihor
સિહોરીમાતા મંદિરે માતાજીનો ૨૪ કલાકનો નવરંગો માંડવો તેમજ નવચંડી યજ્ઞ યોજાયો

પવાર
સિહોરના ગિરિમાળા પર્વત અને હરિયાળી કુદરતી વાતાવરણમાં બિરાજમાન અને સિહોર નું રક્ષણ કરનાર માં સિહોરી માતાજીનો નવરંગો માંડવો તેમજ વેશાખ સુદ પૂનમના ચંદ્ર કળાએ ખીલેલ ચંદ્રની ઉપસ્થિતિમાં નવચંડી યજ્ઞ યોજાયો હતો રાત્રીના સમયે ડાક ડમરુ નીંગાળાના ત્રિપુટી કલાકારે રમઝટ બોલાવી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં પંચના ભૂવા, આમંત્રિત મહેમાનો, આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ,દાતાશ્રીઓ, સ્નેહીજનો આંમત્રિતો, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ દરેક સિહોરી માતાજીના ભૂવાશ્રીઓ આ નવરંગ માંડવા તેમજ નવચંડી યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા.
અહીં હિમાંશુ જોષી દ્વારા પૂજા, અર્ચના, યજ્ઞ કરવામાં આવેલ તેમજ સિહોરી માતાજીના ઉપાસક અને માઇ ભક્ત એવા પૂજારી શ્રી કિશનગીરી ભરતગિરી ગૌસ્વામી તેમજ જીતેશગીરી ભરતગીરી ગૌસ્વામીએ સફળ આયોજક અને આયોજન માટે તમામ સેવકો નો આભાર વ્યક્ત કર્યો હતો