Sihor
મુકો લાપસીના આંધણ; સિહોરનું ગૌતમેશ્વર તળાવ ઓવરફલોની તૈયારીમાં

- ચીફ ઓફિસર મારકણાએ રાત્રીના 9/30 કલાકે શંખનાદને વિગતો આપી, કહ્યું હાલ 25/5 ફૂટની સપાટી પોહચી છે, આવક શરૂ છે, સવાર સુધીમાં તળાવ છલકાશે, નીચાણવાળા વિસ્તારો સાવચેત રહે
સિહોર પંથકના ઉપરવાસના ગામોમાં પડેલા સારા વરસાદને કારણે સિહોરના હાર્દ સમા ગૌતમેશ્વર તળાવની સપાટી 25/5 ફૂટે પહોંચી છે. તેવુ ચીફ ઓફિસર મારકણાએ જણાવ્યું હતું. તળાવની કુલ સપાટી 27 ફૂટની છે. સિહોરવાસીઓને પીવાના પાણી માટે જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થવાના આરે પોહચ્યું છે. ગૌતમેશ્વર તળાવ પાણીથી છલોલલ થવાની તૈયારી છે ત્યારે સિહોરવાસીઓના મોઢા પર આનંદ છલકાયો છે. નગરપાલિકા તંત્ર સુઝબુઝથી કામ લેશે તો આવતા ઉનાળામાં સિહોરના લોકોને પીવાના પાણીની પળોજણ રહેશે નહીં.
સિહોરનું ગૌતમેશ્વર તળાવ છલક સપાટીએ પોહચ્યું છે ઉપરવાસના વિસ્તારોમાં ભરપુર વરસાદ થતાં ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે જેથી નગરપાલિકા તંત્રએ સાવચેતીના ભાગરૂપે તળાવ અને ગૌતમી નદી આસપાસના વિસ્તારોના સાબદા રહેવા તાકીદ કરી છે. ઉપરવાસમાંથી પાણીના પ્રવાહની આવક શરૂ રહેતા આજે બુધવારે મોડી સાંજે ગૌતમેશ્વર તળાવની સપાટી 25/5 પોહચી છે આવતીકાલે સવાર સુધીમાં તળાવ ઓવરફ્લો થાય તેવું ચીફ ઓફિસર મારકણાએ જણાવ્યું હતું
લોકો સાવચેત રહે – ચીફ ઓફિસર
સિહોર નગરપાલિકા તંત્રએ એલર્ટ જારી કરી ગૌતમેશ્વર તળાવ નીચેના ગૌતમી નદીના કાંઠા વિસ્તારમાં લોકોએ અવર જવર ન કરવા તેમજ જે વિસ્તારમાંથી ગૌતમી નદી પસાર થાય છે, તે વિસ્તારના લોકોએ નદીના પટમાં ન જવા ચેતવણી આપી છે. દરમિયાનમાં ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થવામાં છે ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાઈ તે માટે ન.પા. તંત્રએ લોકોને સાવચેત રહેવા ચીફ ઓફિસર મારકણાએ અનુરોધ કર્યો છે.