Sihor
સિહોર યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા ગાયત્રીનગર શાળામાં ઇનામ વિતરણ યોજાયું

પવાર
સિહોરના યુવા યુગ પરિવર્તન સંગઠન આયોજિત પ્રાથમિક શાળા ઇનામવિતરણ અંતર્ગત ગાયત્રીનગર શ્રી કે.પી.કંસારા પ્રાથમિક શાળા ખાતે દાતા સાહિલભાઈ (એ.એમ.સેલ્સ) પરિવાર દ્વારા ઈનામ વિતરણ કરવામા આવ્યું હતું. જેમાં દાતા પરિવાર વાય.વાય.પીના સ્થાપક મલય રામાનુજ તેમજ કાર્યકારી અધ્યક્ષ કુલદીપસિંહ તથા હોદેદારો અને સભ્યો તેમજ શાળાના આચાર્ય તારીફભાઈ તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા
જેમાં ગત વર્ષે ધોરણ ૧ થી ૭ માં પ્રથમ,દ્વિતીય,તૃતીય કક્ષા એ આવેલ વિદ્યાર્થીઓને ઈનામો તેમજ શાળા માં અભ્યાસ કરતા ૫ દિવ્યાંગ બાળકો તેમજ શાળાના વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.