Sihor
સિહોર ; હવામાન માફક નથી આવતું , લીલા શાકભાજી મોંઘા થયા: આવકમાં કાપ

દેવરાજ
- વહેલી ગરમીથી ઉત્પાદનને અસર થવા ઉપરાંત માલ બગડવા લાગ્યો : લોકલ આવક ઘટતા ફરી ‘બહાર’ થી માલ મંગાવવાની નોબત : ગુવાર, ભીંડો, ચોખા વગેરેમાં ભાવવધારો : કોબીજ, ટમેટામાં હજુ ભાવ યથાવત
ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. આ વર્ષે ઉનાળો શરૂ થયો છે. સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચ મહિનાની શરૂઆતમાં ઉનાળો ચાલુ થાય છે. પરંતુ આ વખતે ફેબ્રુઆરીમાં જ ઉનાળાનો આકરો તાપ પડી રહ્યો છે. જેનું સૌથી મોટુ નુકશાન શાકભાજીને થઈ રહ્યું છે હાલ શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. ભાવ વધતા જ ગૃહિણીઓનું બજેટ વિખેરાય ગયું છે. ફેબ્રુઆરી માસમાં તાપમાન હેડુ હોવું જોઈએ તેના બદલે અત્યારે તાપમાન 40 ડિગ્રીએ પહોચ્યું છે. જેના કારણે લોકલ વિસ્તારમાંથી આવતા શાકભાજીની આવકપર અસર થઈ છે.
છેલ્લા કેટલાક દિવસથી રાત્રે ઠંડી અને બપોરે આકરો તડકો પડે છે. આ બેવડી ઋતુ શાકભાજીના પાકને અસર કરે છે. કેટલાક શાકભાજી બેવડી ઋતુના કારણે બગડી જાય છે. અત્યારે સૌથી વધુ ગુવાર, કાકડી, ભીંડો, ચોળાશીંગ, આદુ, લીંબુ, સહિતના શાકભાજી મોંઘા થયા છે.રીંગણા, કોબી, ફલાવર, ચોળાસીંગ, વાલ સહિતના શાકભાજી લોકલ વિસ્તારોમાંથી આવી રહ્યા છે. ગુવાર સુરત અને મરચા ગુજરાતના અન્ય શહેરોમાંથી આવે છે. 50 ટકા માલ બહારથી મંગાવવામાં આવે છે. આ ઉપરાંત બહારથી આવતા માલમાં આકરા તાપના કારણે 20 થી 20 ટકા માલ બગડી જાય છે. અત્યારના શાકભાજી અનુસાર વાતાવરણ અનુકુળ નથી. અત્યારથી લીંબુ,આદુ, ગુવાર, ભીંડો, કાંકડીની લોકલ આવક થવી જોઈએ પરંતુ આ શાકભાજી બહારથી મંગાવું પડે છે.