Sihor
સિહોર ; સંભવિત વાવાઝોડાના પગલે જરૂરીયાતમંદોને ટાઉનહોલ ખાતે અન્ન અને આશરાની સુવિધા અપાઈ હતી

પવાર
- શહેરમાં કાચા મકાનો અને ઝૂંપડામાં રહેતા 200 થી વધુ લોકોને ટાઉનહોલ ખાતે સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા
ચક્રવાત બિપરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા સિહોર વહીવટી તંત્ર સજ્જ હતું. શહેરમાં કાચા મકાનો અને નીચાણવાળા વિસ્તારો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું તંત્ર દ્વારા સુરક્ષિત આશ્રય સ્થાનો પર સ્થળાંતર કરવામાં આવ્યું હતું. મામલતદાર શ્રી જોગસિંહ દરબાર અને નગરપાલિકા ચીફ ઓફિસર મારકણાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા 200 થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું હતું. શહેરના ટાઉનહોલને આશ્રય સ્થાન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા 200 જેટલા અસરગ્રસ્તોને 2 દિવસથી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા તમામને રહેવાની, જમવાની તેમજ આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.જેથી લોકોએ વાવાઝોડાના ભય વચ્ચે રાહતનો શ્વાસ લીધો હતો. ચીફ ઓફિસર મારકણા જણાવ્યું હતું કે, સરકારની સૂચના અનુસાર તંત્ર દ્વારા આશ્રિતોને રહેવાની, સવારનો નાસ્તો, બપોર અને સાંજનું ભોજન, આરોગ્યની, સુવાની તેમજ પ્રાથમિક તમામ જરૂરીયાતો પૂરી પાડવામાં આવી હતી. 200 જેટલા લોકોને તંત્ર દ્વારા જમવાનું આપવામાં આવ્યું હતું. આશ્રય સ્થાનમાં તમામ લોકો સુરક્ષિત હતા. આશ્રયસ્થાનમાં આશરો મેળવનાર એક વ્યક્તિ જણાવ્યું કે વાવાઝોડાના ખતરાને લઈને અમને ટાઉનહોલ લઈ આવવામાં આવ્યા હતા.
અહી અમારી ખૂબ સારી રીતે સારવાર કરવામાં આવી હતી.સવારે ચા-નાસ્તો, બપોરે અને સાંજે સારું ભોજન, પીવાનું શુદ્ધ પાણી, સુવાની, આરોગ્યની તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી હતી. તે બદલ હું તંત્ર અને સરકારનો ખૂબ આભાર માન્યો. વાવાઝોડાથી અસરગ્રસ્ત ઝૂંપડપટ્ટીમાં રહેતા જણાવે છે કે તંત્ર અને સરકારે અમને આશરો આપ્યો તે બદલ તેમનો હું આભાર માનું છું.અહિયાં અમને ભોજન,પાણી, રહેવાની ખૂબ સારી સુવિધા મળી છે. અમારા નાના બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. બાળકોનું આરોગ્ય તપાસવામાં આવે છે.