Connect with us

Sihor

સિહોર ; હોળી-ધૂળેટીના તહેવારમાં ગોઠ માંગનાર સામે કરાશે કાર્યવાહી

Published

on

Sihor; Action will be taken against those seeking arrangements at the Holi-Dhuleti festival

પવાર

રસ્તાઓ પર ગોઠ માંગી લોકોને પરેશાન કરાતા હોય છે ; ઘેરૈયાઓએ લોકોને રંગ છાંટીને પરેશાન કરવા નહીં તથા ઇચ્છા વિરૂધ્ધ રંગ છાંટવો નહીં

ભાવનગર જિલ્લામાં હોળી-ધૂળેટીના તહેવારમાં ગોઠ માંગનાર સામે કાર્યવાહી કરાશે. રસ્તાઓ પર ગોઠ માંગી લોકોને પરેશાન કરાતા હોય છે. ઘેરૈયાઓએ લોકોને રંગ છાંટીને પરેશાન કરવા નહીં તથા ઇચ્છા વિરૂધ્ધ રંગ છાંટવો નહી. આ અંગે ભાવનગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામુ બહાર પાડયુ છે. આગામી તા. ૦૭ માર્ચ-૨૦૨૩નાં રોજ હોળી તથા તા.૦૮ માર્ચ-૨૦૨૩નાં રોજ ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવારો દરમિયાન જાહેર રસ્તાઓ ઉપરથી પસાર થતાં લોકોને અટકાવીને ઘેરૈયાઓ તેમની પાસેથી ગોઠ માંગે છે અને રસ્તા ઉપર ગોઠ માટે અડચણો ઉભી કરે છે તથા ગોઠ ન આપનાર ઉપર રંગ છાંટી રાહદારીઓને ત્રાસ આપી પરેશાન કરે છે.

Sihor; Action will be taken against those seeking arrangements at the Holi-Dhuleti festival

જેથી અકસ્માત, તકરારો થવાની શકયતાઓ હોઇ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩(૧) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા જાહેર હિતમાં ફરમાવેલ છે કે, સમગ્ર ભાવનગર જિલ્લામાં તા.૦૭/૦૩/૨૦૨૩ તથા તા.૦૮/૦૩/૨૦૨૩ નાં રોજ હોળી – ધુળેટી નિમિત્તે ઘેરૈયાઓએ લોકો પાસેથી ગોઠ માંગવી નહીં તેમજ તેમને રંગ છાંટીને પરેશાન કરવા નહીં તથા ઇચ્છા વિરૂધ્ધ રંગ છાંટવો નહીં.હુકમ/ જાહેરનામાનો ભંગ ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૧ મુજબ શિક્ષા થશે.જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલનાં પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરનાં અધિકારીને અધિકાર રહેશે.

Advertisement
error: Content is protected !!