Sihor
સિહોર : વિવાહનો વિરહ નહિ જીરવાતા યુવક યુવતીએ ગળા ફાંસો ખાઈ કર્યો આપઘાત, બનાવને લઈ અરેરાટી

પવાર ; બુધેલીયા
સિહોરમાં આજે સવારે યુવક યુવતીનું વેવિશાળ એક વર્ષ પહેલાં થયું હતું લગ્ન થવામાં મોડું થતાં બન્નેએ આ પગલું ભર્યું યુવાઓમાં નાનકડી એવી બાબતોમાં આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી. બંન્નેએ પંચાયત કચેરીના પટાંગણમાં આવેલા વડલાના ઝાડે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સિહોર તાલુકા પંચાયતનાં ગ્રાઉન્ડમાં આવેલા વડલાનાં ઝાડે લટકાઇને આપઘાત વહોરી લેતા પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો છે. ભાવનગરના યુવક યુવતીનું વેવિશાળ એક વર્ષ પહેલાં થયું હતું લગ્ન થવામાં મોડું થતાં બન્નેએ આ પગલું ભર્યું યુવાઓમાં નાનકડી એવી બાબતોને લઈને આત્મહત્યા સુધી પ્રેરઈ આત્મહત્યા કરી લેવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે
આવો જ એક કિસ્સો સિહોર ખાતે યુવક યુવતીએ ઝાડ સાથે લટકી જઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી ભાવનગર શહેરના કરચલીયાપરા ખાતે રહેતા યુવાન અને આનંદનગર ખાતે રહેતા યુવતીએ સિહોરના તાલુકા પંચાયત સંકુલ માં આવેલા વડલા ના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી બંને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ભાવનગર ના યુવક યુવતીનું વેવિશાળ થયું હતું વિવાહનો વિરહ ન જીરવાતા યુવક યુવતીએ આ પગલું ભરી લીધું હતું.આ ઘટનાની જાણ થતાની સાથે જ સિહોર પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને ના મૃતદેહ પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સમગ્ર બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તાર ખાતે રહેતા હાર્દિક કાળુભાઈ જમોડ ઉંમર વર્ષ 20 અને આનંદનગર વિસ્તાર ખાતે રહેતા કવિતાબેન નરેશભાઈ બારૈયા ઉંમર વર્ષ 20 નું વેવિશાળ એક વર્ષ પહેલા થયું હતું દરમિયાનમાં બંને વચાળ વધુ પ્રેમ પાંગર્યો હતો પરંતુ લગ્ન થવાના હજુએ એકાદ વર્ષની વાર હોય બંને એ વઘુ સમય સુધી જુદા રહેવાનું પસંદ આવતાં બંને થી વિવાહનો વિરહ ન જીરવાતા વેલેન્ટાઇન ડે ની મોડી રાત્રીના સમયે ભાવનગર થી સિહોર પહોંચ્યા હતા અને સિહોરના તાલુકા પંચાયતના સંકુલમાં આવેલા વડલાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગાળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ ઘટનાની જાણ થતાં સિહોર પોલીસ મથક સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને બંને મૃતદેહ પીએમ માટે મોકલી આગળની કરવાથી હાથ ઘરી હતો
બંનેની સગાઇ નક્કી થઇ ગઇ હતી!
બીજી બાજુ એવી પણ વાત ચર્ચાઇ રહી છે કે, બંનેના પરિવારજનો માની જતાં સગાઇ પણ નક્કી થઇ ગઇ હતી. જોકે, લગ્ન ત્રણ વર્ષ બાદ લેવાનું નક્કી કર્યું હતું. જેના લીધે બંનેએ જીવન ટુંકાવ્યું છે. જોકે, સાચી હકીકત તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.