Connect with us

Sihor

સિહોર નવાગુંદાળા વસાહત સ્મશાનના લાકડામાં ફરી લાગી આગ – ફાયર કાફલો દોડી આવ્યો

Published

on

Sehore Navagundala Cemetery Cemetery Running fire - Fire convoy ran

પવાર

  • વારંવાર આગ લાગવા પાછળનું રહસ્ય હજુ પણ અકબંધ – તંત્ર એ તપાસના ચક્રો ગતિમાન કરવા જરૂરી

સિહોરના નવા ગુંદાળા વિસ્તારમાં આવેલ સ્મશાન ખાતે લાકડામાં આગ લાગવાના બનાવો સતત ને સતત બની રહ્યા છે. જેમાં બે દિવસ પૂર્વે જ સ્મશાન ના લાકડામાં આગ લાગી હતી ત્યારે આજે ફરી આગ લાગી અને ફાયર કાફલો ફરી દોડી ગયો હતો. સિહોર નગરપાલિકા ના વોર્ડ નં.૨ નવાગુંદાળા વસાહત ખાતે આવેલ ખાડિયા વિસ્તાર ના સ્મશાનમાં અંતિમ વિધિ માટે રાખવામાં આવેલ લાકડામાં આજ થી દસ થી ૧૨ દિવસ પહેલા તેમજ ૩થી વધુ વખત આગ લાગેલ હતી,અને આજે પણ અચાનક આગ લાગેલ હતી.

Sehore Navagundala Cemetery Cemetery Running fire - Fire convoy ran

જે ક્યાં કારણો સર લાગે છે તે રહસ્ય હવે ગૂઢ બનતું જાય છે.જે અંગે પૂર્વ ઉપ પ્રમુખ ચતુરભાઈ રાઠોડ દ્વારા પાલિકા માં ઇમરજન્સી સેવા લેન્ડિંગ ફોન થી જાણકારી આપતા જે અંગે સિહોર નગરપાલિકા ફાયર સ્ટાફ ને થતાં તાત્કાલીક પોહચી ગયેલ છે અને ૨૫૦૦ લીટર પાણી નો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો . આ આગને લઈ હજુ બે દિવસ પહેલા જ આ સ્થળે આગ લાગેલ પરતું ક્યાં કારણોસર આગ લાગી હતી જે આજ સુધી અંકબંધ રહ્યું છે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે

error: Content is protected !!