Bhavnagar
કાલથી જયા પાર્વતી વ્રતના પ્રારંભની પૂર્વ સંધ્યાએ બજારમાં પુજા સામગ્રીની ખરીદી : ભારે ભીડ

દેવરાજ
આવતીકાલથી જયાપાર્વતીની વ્રતનો પ્રારંભ થશે ત્યારે યુવતીઓ જયા પાર્વતીના વ્રત માટે આજથી ખરીદી શરુ કરી હતી જેમાં પુજા માટે વપરાતી સામગ્રીની ખરીદી કરવામાં આવી રહી છે. પુજાપો જવેરા સહિતની વસ્તુઓ ખરીદવા બજારો સવારે ભીડ જામી હતી. જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પુજા અર્ચનાનું વ્રત છે.
આ વ્રત અષાઢ સુદ તેરસથી શરુ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. વ્રતના ભોજનમાં મીઠુ (ખાટાસ) ખાવાની મનાઈ હોય છે એ વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારીકાએ ઉપરાંત પરિણીતાઓના વ્રતનું સમાપન થાય છે. આગામી સમયમાં નાની બાળાઓના મોળાકત વ્રત શરૂ થશે.