Gujarat
વડાપ્રધાન મોદીએ ઈદ ઉલ ફિત્રની શુભકામના પાઠવી કહ્યું- ઈદ મુબારક

કુવાડિયા
સમાજમાં સદભાવ અને કરુણાની ભાવનાને આગળ વધારવામાં આવે: પીએમ
મુસ્લીમ બિરાદરો પર્વ ઈદ-ઉલ-ફિત્રના અવસરે વડાપ્રધાન મોદીએ દેશમાં સૌને ઈદની શુભકામના પાઠવી હતી અને લોકોના સારા સ્વાસ્થ્યની શુભકામના વ્યક્ત કરી હતી. આ સવારે ટવીટ કરીને વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે નઈદ-ઉલ-ફિત્રથની શુભકામના આપણા સમાજમાં સદભાવ અને કરુણાની ભાવનાને આગળ વધારવામાં આવે.
હું બધાને અદભુત સ્વાસ્થ્ય અને કલ્યાણના માટે પણ પ્રાર્થના કરું છું. ઈદ મુબારક તેમણે જણાવ્યું હતું કે ઈદ ઉલ ફિત્ર શાંતિ, ચાઈચારા, માનવતા અને પ્રેમનો સંદેશ આપે છે. હું ઈચ્છું છું કે દેશમાંથી બધી બુરાઈઓ દુર થાય અને દરેક જગ્યાએ ખુશી ફેલાય. દેશ આગળ વધતો રહે અને સમૃદ્ધ થતો રહે.