Sihor
સિહોરના વતની કવિયત્રી કુંદન લંગળિયાનું પ્રેમ પદારથ પાયો લઘુનોવેલ નું વિમોચન કરાયું

પવાર
મૂળ સિહોરના વતની અને બી એમ કોમર્સ હાઈસ્કૂલના નિવૃત શિક્ષિકા અને કવિયત્રી કુંદન લંગાળિયા રચિત”પ્રેમ પદારથ પાયો” લઘુનોવેલ નો વિમોચન કાર્યક્રમ તારીખ 1૭-૭-૨૩ને સોમવતી અમાસનાં રોજ સિહોરના ઐતિહાસિક બ્રહ્મકુંડ ખાતે દેવેન્દ્ર વ્યાસ(ભૂતપૂર્વ આચાર્ય આલ્ફ્રેડ હાઇસ્કુલ) ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું
એમાં માનનીય પૂર્વ.સાંસદ રાજુભાઇ રાણા, પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, પૂર્વ સિહોર તાલુકા પંચાયત મનુભાઈ દીક્ષિત”ડીગાજી” પરેશભાઈ ત્રિવેદી તથા અનીલભાઈ મહેતા દ્વારા વિમોચન કરવામા આવ્યું હતુ જે એમણે તેમનાં સ્વર્ગસ્થ જીવનસાથી શ્રી બી આર કાકડીયા ને શ્રદ્ધાસુમન રૂપે અર્પણ કરેલ છે.