Connect with us

Sihor

સિહોર ખાતે રામદેવપીર બાપાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ; ત્રણ દિવસ ધર્મમય માહોલ

Published

on

Prana Pratishtha Mohotsav of Ramdevpir Bapa will be held at Sihore; Religious atmosphere for three days

દેવરાજ

તડામાર તૈયારીઓનો આખરી ઓપ, ત્રણ દિવસના પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્ય કક્ષાના નેતાઓ હાજરી આપશે

સિહોરના દેદારજીના કુવા પાસે આવેલ રામદેવપીર યુવક મંડળ દ્વારા રામદેવપીર બાપાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભાવ અને ઉમંગભેર ઉજવણી થશે જેની તડામાર તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે.

Prana Pratishtha Mohotsav of Ramdevpir Bapa will be held at Sihore; Religious atmosphere for three days

શહેરના દેદારજીના કુવા પાસે આવેલ રામદેવપીર બાપાના મંદિર ખાતે ત્રણ દિવસનો રામદેવપીર મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે જેમાં રામદેવપીર યોગ મંડળ દ્વારા તા ૨૩ થી ૨૬ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભજન, સંતવાણી, રામદેવપીરનું આખ્યાન, ડાક ડમરૂ, સહિતના કાર્યક્રમો યોજાશે અહીં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેશે અને આ મહોત્સવ દરમિયાન રાજ્ય કક્ષાના નેતાઓ હાજરી આપશે સાથે સામાજિક અને અનેક સંસ્થાના વડાઓ આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહેશે. લોકોને દર્શન લાભ લેવા રામદેવપીર યુવક મંડળ દ્વારા પણ ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Advertisement
error: Content is protected !!