Sihor
પોલીસની પ્રેરણા ; સિહોરના 25 યુવાનોએ વ્યસન મુક્ત થવાનો સંકલ્પ લીધો

પવાર
સિહોરના પાંચવડા વિસ્તારમાં યોજાયેલા લોકદરબારમાં પોલીસ અધિકારી ગૌસ્વામીની પ્રેરણાથી 25 યુવાનો વ્યસન મુક્ત થયા – વ્યસનના કારણે મોતના મુખમાં હોમાતા યુવાનો અને હજારો પરિવારો બરબાદ થયા છે, લોકોએ વ્યસન થી દુર રહેવું જોઈએ ; પીએસઆઈ ગૌસ્વામી
નશાની લત માણસની અંદરથી કોરી ખાય છે. ત્યારે વ્યસનની લતને નાથવા સિહોર પોલીસ અધિકારી પ્રેરણા સ્ત્રોત બન્યા છે જે અધિકારીના કારણે સમાજને જાગૃત કરવાની અનોખી પહેલ ઉભી થઇ છે આ૫ણી એક જુની ૫ુુુુુરાણી કહેવત /નશો નોતરે નાશ/ જે આજે ૫ણ એટલી જ પ્રચલિત છે. આ૫ણે સૌ વ્યસનથી થતુ નુુુુુકસાન ચોકકસ૫ણે જાણીએ જ છીએ તેમ છતાં દિન પ્રતિદિન વ્યસનની ઝાળ સ૫ડાતા લોકોની સંખ્યા ઘટવાની જગ્યાએ વઘતી જ જાય છે.
વ્યસનના કારણે અનેક યુવાનો મોતના મુખમાં હોમાઈ રહ્યા છે ત્યારે સામાજિક અને સેવાભાવી સંસ્થાઓને બદલે પોલીસે કાબીલતારીફ કામ કર્યું છે, સિહોરના પાંચવડા વિસ્તારમાં યોજાયેલા લોકદરબારમાં સિહોર પોલીસ અધિકારી ગૌસ્વામીની પ્રેરણાથી 25 યુવાનો વ્યસન મુક્ત થયા છે સિહોર જ નહીં સમગ્ર રાજ્યમાં બીડી, માવા, સિગારેટ જેવી વસ્તુઓનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. આ પ્રતિબંધ વસ્તુઓની માંગ હોવાને કારણે ચોરી-છૂપીથી યુવાનો સુધી પહોંચી રહી છે.
બીજી તરફ યુવાનો મોજશોખ ખાતર વ્યસનો કરીને બરબાદી વ્હોરી રહ્યા છે. વ્યસનના કારણે અનેક યુવાનો મોતના મુખમાં હોમાઈ રહ્યા છે ત્યારે સામાજિક અને સેવાભાવી સંસ્થાઓને બદલે સિહોર પોલીસે વ્યસન મુક્ત સમાજ અભિયાન હાથ ધર્યું છે. ગઈકાલે સિહોરના પાંચવડા વિસ્તારમાં પોલીસ દ્વારા લોકદરબારમાં યોજવામાં આવ્યો હતો જેમાં પોલીસ અધિકારી ગૌસ્વામી ઉપસ્થિત રહ્યા હતા
તેઓએ જણાવ્યું હતું કે વ્યાજખોર, છેડતી, અસામાજિક તત્વો સામે કોઈ બાંધછોડ નહિ કરવામાં નહિ આવે ખાસ વ્યસન મુક્તિ પર ભાર મુકાયો હતો તેઓએ આગળ કહ્યું હતું કે વ્યસનોને લીધે યુવાનોનો સમય, શક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતાઓ નાશ પામી રહી છે. કેન્સર સહિતના રોગોનો ભોગ લોકો બની રહ્યા છે ત્યારે વ્યસનને ત્યજીને તાણમુક્ત જીવન જીવવા પ્રેરણાદાયી વાત કહી હતી જેને લઈ સ્થળ પર 25 જેટલા યુવાનોને વ્યસન મુક્ત કરવાનો સંકલ્પ લીધો હતો.