Sihor
સિહોરમાં ગટરો ઉભરાતા રોગચાળાનો ફેલાવો: સફાઇ કામગીરીમાં તંત્રની નિરસતા

પવાર
- શુ આ સુશાશનની ઉજવણી યોગ્ય છે.?
સિહોરમાં ભાજપ નું સાશન છેલ્લા પચીસ વર્ષ રહ્યું. ભાજપ સુસાશનનું વર્ષ ઉજવે છે પરંતુ ખરેખર પ્રજા અનેક જીવોથી પીડાય છે. વાસ્તવિકતા એ છે કે ઉભરાતી ગટરો ના કારણે ઘરમાં રહીએતો પણ રોગચાળા ના શિકાર બનવું પડે.મચ્છર ઘરમાં રહીએ તો પણ કરડેજ.અને બહાર નીકળીએ તો તૂટેલી ગટરો,ગટરના તૂટેલા ઢાંકણા કે રખડતા ઢોર ક્યારે અકસ્માત નોતરે તે નક્કી નહિ. સત્તાધીશોએ એવું સાશન ન આપ્યુ કે જેને લઈ પોતે પદ ઉપરથી ઉતરી જાય તો પણ નગરનું સાશન સુસાશન લાગે. પ્રજા પરેશાન ન થાય. અને હાલ વહીવટદારનું સાશન છે. સરકાર નો તગડો પગાર મેળવે છે છતાંય સિહોર વાસીઓની અનેક મુશ્કેલીઓનો અંત આવવા ના બદલે વધારો થતો જાય છે. સિહોરનો ભાગ્યેજ કોઈ મહોલ્લો બાકી હશે જ્યાં ગટર ઉભરાતી જોવા ન મળે.
ઉભરાતી ગટરો ના કારણે પાણી અને મચ્છર જન્ય રોગચાળો વકરે તે જાણવા છતાંય કોઈજ સુધારો નહીં.આરોગ્ય તંત્ર બિચારું રોગચાળો ન વકરે તે કામગીરી કરે અને પાલિકા ની ગટરો ઉભરાયા રાખે. સિહોરની ગલીઓ કે જાહેર મુખ્ય રોડ પર ફરતા ગટરના તૂટેલા અનેક ઢાંકણા દેખાય.નવું નાખે ત્યાં પંદર દિવસે મહિને દહાડે ફરી તૂટે.ને ફરી નવું નાખે! કોના બાપની દિવાળી?એ તૂટેલા ગટરના ઢાંકણા માં પડી આંખડી જવાય તેવી સિહોર વાસીઓની ચિંતા કરવા વાળું કોઈ નથી તેમ છતાંય ભાજપ સરકાર સુસાશન ની ઉજવણી કરે છે. રખડતા પશુઓએ માજા મૂકી છે.ખુટિયા ઓ ક્યારે લડીને જીવનું જોખમ ઉભું કરે અથવા તો માલ મિલ્કત ને નુકસાન પહોંચાડે તે નક્કી નથી. હાઇકોર્ટે રાજ્યની સરકાર ને કડક હાથે કામ લેવાની સૂચના આપી છે પરંતુ પાલિકા તંત્ર હાઇકોર્ટ ના આદેશની અવગણના કરે છે.રખડતા કૂતરા નો ત્રાસ વધતો જાય છે. બાઈક લઈ ને નીકળ્યા એટલે આવ્યું બન્યૂ તેવા દ્રશ્યો રોજેરોજ જોવા મળે છે. સિહોર વાસીઓ આવા અનેક પ્રશ્ર્નોથી પરેશાન છે ત્યારે સવાલ ઉદભવે છે શું આને કહેવાય સુસાશન!