Gujarat
રાજયભરમાં તા.21 અને 22 ના રોજ એસ.ટી.નુ ઓનલાઈન બુકીંગ બંધ રહેશે

પવાર
- સીસ્ટમમાં મહત્વના ફેરફાર સાથે અપગ્રેડેશન કરવાનુ હોય તંત્રનો નિર્ણય
ગુજરાત એસ.ટી. નિગમમાં મુસાફરોની સુવિધા માટે કાર્યરત અને રાઉન્ડ ધી કલોક ચાલુ રહેતી ‘ઓનલાઈન બુકીંગ’ સેવા કાલે તા.21-22 ને મંગળ-બુધવારના રોજ રાજયભરમાં બંધ રાખવામાં આવનાર છે. એસ.ટી. નિગમ દ્વારા આ ઓનલાઈન બુકીંગ સીસ્ટમમાં અમુક મહત્વના ફેરફારો સાથે અપગ્રેડેશન કરવાની કામગીરી થનાર છે. જેના કારણે ઉપરોકત બે દિવસ માટે રાજકોટ સહિત રાજયભરમાં ઓનલાઈન બુકીંગ થઈ શકશે નહીં.
આ અંગે એસ.ટી. નિગમના જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ તમામ મુસાફરોને જણાવવાનુ કે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની ઓનલાઈન બુકીંગ સીસ્ટમમાં મેઈન્ટનેન્સ/અપગ્રેડેશન કાર્યવાહી હાથ 23 કલાકથી ધરવાની હોવાથી આગામી તા.21 તથા 22 ના 7 કલાક સુધી www.gsrtc વેબસાઈટ/GSRTC મોબાઈલ એપ્લીકેશન, કાઉન્ટર બુકીંગ તથા તમામ ફ્રેન્ચાઈઝી બુકીંગ બંધ રહેશે જેની મુસાફરોએ નોંધ લેવી. ઉપરોકત સમય દરમ્યાન ઓનલાઈન બુકીંગ સેવા બંધ રહેવા બાબતે દિલગીરી વ્યકત કરીએ છીએ તેવુ જનસંપર્ક અધિકારી દ્વારા જણાવાયુ છે.