Connect with us

Sihor

સિહોર શ્રીમારૂ કંસારા જ્ઞાતિ દ્વારા તમામ વિધાર્થીઓને વિના મૂલ્યે નોટબુક તેમજ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.

Published

on

Notebooks and books were distributed free of cost to all the students by Sihore Shrimaru Kansara Jati.

બુધેલીયા

કોઈપણ સમાજ હોય દરેક વ્યક્તિ સમાજથી ઉજળો હોય છે. સમાજમાં દરેક વ્યક્તિ સરખી હોતી નથી, જેના કારણે સંગઠનનો અભાવ દેખાઇ આવે છે. પરંતુ સિહોરમાં શ્રીમારૂ કંસારા સમાજ એ બીજાં અન્ય સમાજને રાહ ચિંધનારો સમાજ છે. આ સમાજ દ્વારા પોતાની જ્ઞાતિના ધોરણ..1.. થી..કોલેજ,. ડીપ્લો માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સમાજ દ્વારા નોટબુક તેમજ ચોપડાનું વિતરણ વિના મૂલ્યે કરવામાં આવ્યું હતું.

Notebooks and books were distributed free of cost to all the students by Sihore Shrimaru Kansara Jati.

દરેક સમાજમાં દરેક પરીવાર આર્થિક રીતે સુખી સંપન્ન હોતો નથી, જેથી આર્થિક રીતે ગરીબ અને પછાત વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકતા નથી. જેથી સમાજ દ્વારા આર્થિક રીતે મદદરૂપ બનેતો બાળકોનું ભવિષ્ય ઉજળું બની શકે છે, ત્યારે સ્વ. ટી.ડી.કંસારા (ચેરમેન બેંક ઓફ ઇન્ડિયા) ની પ્રેરણાથી વર્ષોથી સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ કેળવણી દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકો પુસ્તકો આપવામાં આવે છે. શ્રી મારુ કંસારા જ્ઞાતિએ દરેક કાર્ય વડીલો ના આશીર્વાદ ,સહકાર થી સમાજ સાથે રાખીને કામો કરતાં હોય છે. એક કહેવત મુજબ જો આગેવાન આંધળો હોય તો તેનું કટક કૂવામાં પડે છે. પરંતુ સિહોર શ્રીમારું કંસારા જ્ઞાતિના સમાજ સેવક તેમજ પ્રમુખ તરીકે હરીશભાઇ પવાર સમાજ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જવાબદારીઓ સંભાળે છે ત્યારે દરેક લોકોને સાથે રાખી કામ કરતાં હોવાથી વારંવાર આ જ્ઞાતિના તમામ કાર્યક્રમો સમગ્ર મારૂ કંસારા સમાજ દ્વારા કરવામાં આવે છે.

ત્યારે સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ કેળવણી મંડળ દ્વારા નોટબુકો નું વિતરણ દરમિયાન સમાજ ના કા.પ્રમુખ હરીશભાઈ પવાર,સેક્રેટરી,રાજુભાઈ બુદ્ધભટ્ટી, ટ્રસ્ટી સંજય પરમાર,મનીષ પરમાર, આશિષ પરમાર,હિતેશ પવાર,અશોક બુદ્ધભટ્ટી, રાજુભાઈ બુદ્ધભટ્ટી,અશોક (ભોટાલાલ) બુદ્ધભટ્ટી, નલિન પરમાર,રમેશભાઈ પરમાર,ભોગીલાલ પરમાર સહિત ના સમાજ આગેવાનો,સમાજ શ્રેષ્ઠીઓ, હોદેદારો,કાર્યકરો સહીત ઉપસ્થિત રહી.જે ખરેખર સમાજ હિતલક્ષી કામ કરીને પ્રસંશનીય ,તેમજ સરાહનીય કામગીરી કરી રહ્યા છે.

Advertisement
error: Content is protected !!