Connect with us

Sihor

સિહોરમાં 200 થી વધુ લોકોનું કરાયું હતું સ્થળાંતર : જરૂર પડયે અસરગ્રસ્ત વિસ્તારોને પૂરતી મદદની તમામ તૈયારીઓ થઇ ચુકી હતી

Published

on

More than 200 people were evacuated in Sihore: All preparations were made to provide adequate relief to the affected areas if required.

Pvar

હોસ્પિટલમાં મેડીકલ ટીમો સ્ટેન્ડ બાય, આરોગ્ય સારવાર મારે સરકારી અને ખાનગી હોસ્પિટલો તૈયાર, રેસ્કયુ ટીમ અને સફાઈ કામદારો સ્ટેન્ડબાય, કન્ટ્રોલ રૂમમાં આરએન્ડબી અને ફોરેસ્ટ વિભાગની ટીમ તૈનાત, વાવાઝોડાની સ્થિતિ પર વહીવટી તંત્રની ચાંપતી નજર : મામલતદાર જોગસિંહ દરબાર

વિનાશક બિપોરજોય વાવાઝોડા સામે સિહોર શહેર અને તાલુકા વહીવટીતંત્ર અને રાજય સરકાર એલર્ટ બની ગયા હતા. બિપોરજોય વાવાઝોડુ મોડી સાંજના કચ્છના જખૌ નજીક લેન્ડફોલ કરવાનું હતું તે પુર્વે વહીવટીતંત્ર દ્વારા સિહોર શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી 200 થી વધુ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવેલ હતું.

More than 200 people were evacuated in Sihore: All preparations were made to provide adequate relief to the affected areas if required.

મામલતદાર જોગસિંહ દરબારએ આ અંગે જણાવ્યુ હતું કે બિપોરજોય વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીનાં તમામ પગલા લેવામાં આવેલ આવ્યા છે. સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શેલ્ટર હોમ ધમધમતા કરી દેવામાં આવેલ આવ્યા છે. શાળાઓનાં બીલ્ડીંગો પણ તૈયાર રાખવામાં આવ્યા છે. શેલ્ટર હોમમાં અસરગ્રસ્તો માટે સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ફૂડ પેકેટસ તૈયાર રાખવામાં આવેલ છે. મામલતદાર જોહસિહ દરબારએ જણાવ્યું હતું કે વાવાઝોડાની પરિસ્થિતિને પહોચી વળવા માટે સિહોરની સરકારી અને ખાનગી હોસ્પીટલો તૈયાર રાખવામાં આવી હતી.

More than 200 people were evacuated in Sihore: All preparations were made to provide adequate relief to the affected areas if required.

આ ઉપરાંત નગરપાલીકાની રેસ્કયુ ટીમ અને સફાઈ કામદારો તૈયાર રાખવામા આવ્યા હતા.ઉપરાંત મેડીકલ ટીમો સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી હતી. તેની સાથો સાથ કન્ટ્રોલ રૂમમાં આર.એન્ડ.બી અને ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી જેથી માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવાની ફરીયાદ મળે કે તુરંત જ વૃક્ષો માર્ગ પરથી હટાવવાની ઝડપી કામગીરી થઇ શકે. જોગસિંહએ વધુમાં જણાવ્યું હતું કે ઉપરાંત બિપોરજોય વાવાઝોડાના પગલે સિહોર સાથે આજુબાજુ વિસ્તારોમાં મદદની જરૂરીયાત ઉભી થયે સિહોરથી તાબડતોબ પહોંચાડાશે તેમ પણ મામલતદાર જોગસિંહ દરબારએ જણાવેલ હતું.

Advertisement
error: Content is protected !!