Palitana
પાલીતાણા ખાતે પ્રસિદ્ધ કાળ ભૈરવ દાદાના દર્શન કરતાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

નિલેશ આહીર
- રંઘોળા ગામે પણ ઈરિકેશન ઓફિસની મુલાકાત રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા લીધી
રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા આજે રંઘોળા અને પાલીતાણા ખાતે મુલાકાત લીધી હતી રંઘોળા ખાતે રાજ્ય સરકારના પાણી પુરવઠા અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા નવી સરકારમાં મંત્રી બન્યા બાદ પ્રથમ વખત મુલાકાતે આવતા રંઘોળા ગામના સરપંચ વશરામભાઇ ડાંગર,કોળી સમાજના આગેવાન નટુભાઈ ચાવડા,તાલુકા પંચાયત ચેરમેન સુરેશભાઈ કુવાડિયા,સિંચાઈ વિભાગ કાર્યપાલક ઈજનેર સરવૈયા સહિત રંઘોળા આજુબાજુના ગામોના આગેવાનો અને કોળી સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મંત્રી કુંવરજી બાવળીયાનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.
ત્યારે બાદ પાલીતાણા ખાતે પધારેલા જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ કાળ ભૈરવ દાદાના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચન કર્યા હતા. આ પ્રસંગે મંત્રીએ કાળ ભૈરવ દાદાના ચરણે જલ અર્પણ કરીને પૂજન કર્યું હતું.
જ્યારે અગ્રણીઓેએ મંત્રીને ફૂલ હાર પહેરાવીને સ્વાગત કર્યુ હતું. મંત્રીની મુલાકાત પ્રસંગે પાલીતાણા ખાતે શહેરના અગ્રણીઓ, પાલીતાણા તાલુકા પંચાયતના સભ્યો, મામલતદાર પાલીતાણા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.