Connect with us

Sihor

સિહોરના ધ્રુપકા આસપાસ વિસ્તારમાં બેફામ બન્યા ખનીજ ચોરો ; આમને અટકાવો – ભાવેશ વાળા, મનસુખ બારૈયા

Published

on

Mineral thieves became rampant in the area around Dhrupka of Sihore; Stop this - Bhavesh Wala, Mansukh Baraiya
ધ્રુપકાના ભાવેશ વાળા, અને મનસુખ બારૈયા દ્વારા તંત્રને રજૂઆત, કહ્યું સિહોરના ધ્રુપકા ગામ આસપાસ ખનિજચોરોએ ડાટ વાળ્યો છે, જમીન ખસી રહી હોવાની દહેશત, ખનીજ ચોરોને રોકવા જરૂરી, વારંવાર જમીનમાં બ્લાસ્ટ કરવાથી આજુબાજુના મકાનોમાં તિરાડો પડી, આમને રોકો
સિહોર તાલુકામાં ખનીજ ચોર બેફામ બન્યા હોવાની માહિતી સામે આવી છે. તાલુકાના અનેક વિસ્તારોમાં બેફામ થઈ રહેલી ખનીજ ચોરી મામલે વારંવાર થતી રજુઆત સમગ્ર મામલાની ચાડી ખાઈ છે રાજ્યમાં અનેક વખત ખનીજ ચોરો બેફામ બનવાના અહેવાલો સામે આવતા હોય છે અને સરકારી તંત્રનો ડર ના હોય તેમ ખુલ્લેઆમ ખનીજ ચોરી કરતા હોય છે. તંત્રની બાજ નજર છતાં જિલ્લામાં રેતીની ખનન અને ખાણ ખનીજ ચોરીના વધતા જતા બનાવો સ્થાનિક તંત્ર અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓની મીઠી નજરને કારણે છે. ત્યારે ધ્રુપકા ગામમાંથી બહોળા પ્રમાણમાં થતી ખનીજની ચોરીને અટકાવવા બાબત રજુઆતો થઈ છે. રજૂઆત કર્તાઓનું કહેવું છે કે ધુપકામાંથી કાળા તથા લાલ પથ્થર અને માટી-મોરમ-પરાજુ ની મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવે છે.
Mineral thieves became rampant in the area around Dhrupka of Sihore; Stop this - Bhavesh Wala, Mansukh Baraiya
સિહોર થી ધ્રુપકા ૪ કિલોમીટરના અંતરે આવેલ છે છતાં પણ ત્યાં બહોળા પ્રમાણમાં ખનીજ ની ચોરી થઇ રહી છે. વારંવાર પથ્થરોને તોડવા માટે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. આ ખનીજ ચોરી ગામથી ૩૦૦ કે ૩૫૦ મીટર દુર થઇ રહી છે, વારંવાર બ્લાસ્ટિંગ કરવાથી ગ્રામ જનોના અનેક મકાનો માં તિરાડ પડી ગઈ છે. આ ખનીજ માફિયા બેખોફ ખનીજની ચોરી કરી રહ્યા છે … શું આ માફિયાને રોકવા વાળું કોઈ જ નથી ?? ધ્રુપકા ગામના હોદ્દે દારો દ્વારા જ મોટા ભાગની ખનીજ ચોરી થઇ રહી છે. તેવા આક્ષેપો પણ રજુઆત કર્તા દ્વારા કરાયા છે અને ખનીજ ચોરીને અટકાવવાની માંગ ભાવેશ વાળા અને મનસુખ બારૈયાએ કરી છે.

 

error: Content is protected !!