Bhavnagar
દલિતો પરના અત્યાચારો બંધ ન થાય તો જન આંદોલન

પવાર
ભાવનગર જિલ્લા કલેકટરશ્રી ને આવેદનપત્ર પાઠવાયું, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનાં સમઢિયાળા ગામનાં દલીત ભાઈઓની બનેલી હત્યામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સામાજિક ન્યાય પરિષદ દ્વારા જિલ્લાનાં દલિતો દ્વારા ભાવનગર કલેક્ટરને રજુઆત
દલિતો પરના અત્યાચારો બંધ ન થાય તો જન આંદોલનના મંડાણ કરવામાં આવશે તેવી ચેતવણી દલિત આગેવાનો દ્વારા આપવામાં આવી છેબચુડા તાલુકાનાં સ્વ. આલજીભાઈ પરમાર અને સ્વ. મનોજભાઈ પરમારની થયેલી હત્યા બાબતે ડૉ. બાબા સાહેબ સામજિક ન્યાય પરિષદ દ્વારા ભાવનગર જિલ્લાના દલિતો દ્વારા ભાવનગર કલેક્ટરને આવેદન પત્ર પાઠવી મૌખિક રજૂઆત કરવામાં આવી. હત્યારાઓને કડકમાં કડક સજા થવી જોઈએ અને ભોગ બનનાર પરિવારને રક્ષણ તેમજ આર્થિક રીતે મદદ કરવી જોઈએ.
આ આવેદન પત્રમાં ઉપસ્થિત જિલ્લાનાં દલિતો વરસતા વરસાદમાં ઉભા રહી અને બેસીને મૌન રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગુજરાતમાં અનુસુચિત જાતિનાં લોકો ઉપર થતાં અત્યાચાર બાબતે સરકારે ગંભીરતા સમજી આવા અત્યાચારો બંધ કરાવવા જોઈએ. દેશને આઝાદ થયા સીતેર વર્ષ કરતાં પણ વધારે સમય થવા આવ્યો હોવા છતા દલિતો ઉપર થતાં અત્યાચારો બંધ થતાં નથી તે ખરેખર ન્યાયની બાબતમાં દલિતો ઉપર ભેદભાવ રાખીને અત્યાચારો બંધ થતાં નથી જેથી આવનારા દિવસોમા આવા અત્યાચારો બંધ થવા જોઇએ એવું બાબાસાહેબ સામાજિક ન્યાય પરિષદ દ્વારા કહેવામાં આવ્યું છે.