Bhavnagar
માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યંત પછાત વિસ્તાર ઇંદિરનગરની પ્રાથમિક સ્કુલમા બાળકોને નોટબુક તેમજ બોલપેનનું નિ:શુલ્ક વિતરણ કરાયુ

દેવરાજ
આપણા શાસ્ત્રમાં અન્નદાન, વિદ્યાદાન, તેમજ વસ્ત્રદાનનો સહિતના દાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તે મુજબ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિધ્યાદાનના ભાગ સ્વરૂપે સી.એ. શ્રી ધર્મેશભાઈ હરિયાણી, ભાયાણી નગીનદાસ હરીલાલ પરિવારના શ્રી કિશોરભાઈ ભાયાણી, શ્રી પંકજભાઈ ભાયાણી, શ્રી જતીનભાઈ ભાયાણી તેમજ અન્ય દાતાશ્રીઓની સહાયથી નાત-જાતના ભેદભાવ વગર ઈંદિરાનગર પ્રથ્મિક સ્કુલના ૫૦૦ કુમાર તેમજ કન્યાઓને ની:શુલક ફૂલસ્કેપ નોટ બુક તેમજ બોલપેનનુ વિતરણ હાથો-હાથ માનવસેવા ટીમ તેમજ સ્કુલના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું.
તેમજ બાળકોને સ્વચ્છતા, પર્યાવરણની જાળવણી, બાબતે ઉપયોગી માર્ગદર્શન આપવામા આવેલ તેમ ટ્રસ્ટ ના પ્રમુખ જયેશભાઈ શાહે જણાવેલ હતું.