Bhavnagar
સિહોર આનંદકુંજ આશ્રમના સ્વ.પૂ. સંતશ્રી ધર્મદાસબાપાના ધર્મપત્ની ગં. સ્વ.શ્રી મીરા માતાજી એ બાપુની માલિકિના ફ્લેટની રકમ કરી અર્પણ
![late-reverend-of-sihore-anandkunj-ashram-saint-dharmadasabapas-dharmapatni-g-late-shree-meera-mataji-donated-the-amount-of-the-flat-owned-by-bapu](https://shankhnadnews.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-26-at-9.41.17-AM.jpeg)
પવાર
ભાવનગર જિલ્લામાં જો નિઃશુલ્ક તબીબ સેવા પૂરી પાડતું હોય તો એ એક માત્ર શ્રી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ છે. જે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ-ટીંબી ને વખતોવખત અનુદાન આપના૨ એવા આનંદકુંજ આશ્રમ સિહોર માં દિવ્ય સાધનામય જીવન સાથે પવિત્ર ગૃહસ્થ જીવન જીવીને ધ્યાન, સાધના સાથે પરોપકાર અને જનહિતમાં પવિત્ર કાર્યોની શાશ્વત સંપતિનું ખુબજ ઉપાર્જન કરેલ છે. તેવા ૫૨મ્ વંદનિય મહાપુરૂષ પૂ. સંતશ્રી ધરમદાસબાપા એ ગત્ તા.૧૩.૭.૨૦૨૩ નાં રોજ પોતાનાં નશ્વર દેહને ત્યજીને પરમધામ પ્રતિ મહાપ્રયાણ કરેલ છે.
અગાઉ તેઓશ્રીની પ્રાર્થનાસભા માં તેમજ તા.૨૪.૭.૨૦૨૩ નાં ભંડારા મહોત્સવ માં પૂ. સંતશ્રી ધરમદાસબાપાનાં ધર્મપત્ની ૫૨મ્ વંદનિય ગં.સ્વ. શ્રી મીરા માતાજી એ પૂ. બાપાની માલિકીનો દહીસર ખાતેનો ફ્લેટ પૂ. બાપાનાં પરમ્ ભકતને વેચાણ કરીને તેની ઉપજેલ કિંમત રૂા.૫૧,૧૧,૧૧૧/- રૂપિયાની ૨કમ સંતશ્રીઓ તેમજ વિશાળ સંખ્યામાં સેવક સમુદાયની ઉપસ્થિતમાં હોસ્પિટલને દાનમાં અર્પણ કરવાની જાહેરાત કરેલ છે.આ મહોત્સવ પ્રસંગે મંત્રીશ્રી-બી.એલ.૨ાજપ૨ા એ પોતાના વકતવ્યમાં પ્રતિભાવ આપતા ગં. સ્વ. શ્રી મી૨ા માતાજી દ્વારા કરવામાં આવેલ આવા દિવ્ય સંકલ્પને શત્ શત્ વંદન સાથે વધાવતા તેઓશ્રીનો તેમજ સેવક સમુદાયનો ટ્રસ્ટીમંડળ વતિ હ્રદયપૂર્વકનો આભાર માનેલ છે. આ ભંડા૨ા મહોત્સવમાં ટ્રસ્ટીશ્રી-હિરાભાઈ નાકરાણી પણ ઉર્પાસ્થત રહયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલનાં પ્રણેતા સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહા૨ાજનાં દાદાગુરૂ અને પૂ. સંતશ્રી ધ૨મદાસબાપાનાં દાદાગુરૂ ૫.પૂ. શ્રી સેવા૨ામદાસ બાપુ એક જ છે.