Sihor
જાળવણીના અભાવે સિહોર તાલુકા પંચાયત કચેરી પાસે તળાવ ભરાયું ; તંત્ર સામે અનેક સવાલો

ચોમાસાની મોસમમાં પ્રવેશદ્વાર આગળ પાણી ભરાતાં લોકોને કાદવકીચડ માંથી અવરજવર કરવી પડે છે, દર વર્ષે અહીં પાણી ભરાઈ છે છતાં નધરોળ તંત્રની ઉંઘ ઊડતી નથી
પવાર
સિહોર નગરમાં આવેલ તાલુકા પંચાયત કચેરી પાસેની આગળ દીવાલને અડીને મુખ્ય માર્ગ ઉપર જાણે તળાવ ભરાયું હોઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જે સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઉડાવતું હોય તેમ દેખાઈ રહ્યું છે. પાણી માંથી પસાર થઈ કચેરી ખાતે આવતા અરજદારો અને પ્રજાને ગંદકી અને કચરાનો સામનો કરવો પડે છે. તાલુકાના કામ અર્થે મોટા પ્રમાણમાં આવતી પ્રજા પાણીનું તળાવ જોઈ હાસ્ય પ્રગટ કરે છે. પરંતુ નઘરોળ તંત્રની ઊંઘ ઊડતી નથી એ નવાઇની વાત છે. નગરમાં તાલુકા પંચાયત કચેરીની બહારના ભાગે આસપાસના વિસ્તારમાં તથા ડિવાઈડર અને કચેરી નજીક તળાવ ભરેલું દેખાઈ છે. જે સારું ન કહેવાય. જ્યારે સદર જગ્યાએ તાલુકાના ગામોની પ્રજા રોજ બરોજ મોટા પ્રમાણમાં આવતી હોય છે. પ્રવેશદ્વાર આગળ જ વરસાદી પાણી ભરાતાં અરજદારોની હાલત કફોડી બની જાય છે કચેરીની આસપાસ પાણી ભરાતાં અવર જવરમાં પણ હાલાકીનો સામનો કરીને પસાર થવું પડે છે. હાલમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે ત્યારે વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઇ શકે તે પ્રકારની સુવિધા નહીં હોવાના કારણે કચેરીના પ્રવેશદ્વાર નજીકમાં વરસાદી પાણી ભરાયેલું રહે છે. જેના પગલે કાદવકીચડનું સામ્રાજ્ય છવાય જાય છે. જે બાબત તંત્ર માટે ગંભીર છે જેની સામે અનેક સવાલો ઉભા થાય છે