Connect with us

Sihor

સિહોર પંથકમાં વાવણી ની તૈયારીમાં જોતરાયો જગતનો તાત

Published

on

in-sihore-panthak-the-world-is-busy-preparing-for-sowing

ગૌતમ જાદવ

ચોમાસાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખેડૂત વાવણીની તૈયારીમાં લાગી ગયો છે .”હાલો મારા કાળીયા અને હાલો મારા ધોળિયા”જેવી કવિતા ના શબ્દો ને સાર્થક કરતા ખેડૂતો બળદની મદદ થી ખેતર ખેડી વાવણી ની તૈયારીમાં જોતરાયા છે જયારે અનેક ખેડૂતો મીની ટ્રેક્ટર વડે પોતાની જમીન ખેડી વાવણી લાયક બનાવી રહ્યા છે .

આ વખતે ઉનાળાના દનૈયા પૂરતા પ્રમાણમાં તપ્યા નથી, ઉનાળામાં મોટાભાગે વરસાદી વાતાવરણ રહ્યું છે. ત્યારે જગતનો તાત પણ પૂરતા વરસાદની આશા સાથે ફરી વાવણી ની તૈયારીમાં જોતરાયો છે.આ વર્ષે જે પ્રમાણે ઉનાળો તેનો પ્રભાવ બતાવી રહ્યો છે તે જોતા ૨૫ જુન કે તે પહેલા ગુજરાતમાં ચોમાસું સક્રિય થાય તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે.ત્યારે ભાવનગર જીલ્લાના ખેડૂતોએ વાવણી ની તૈયારીનો આરંભ કરી દીધો છે.હાલના સમયમાં ખેડૂતો બળદ અને ટ્રેક્ટર બંનેની મદદ વડે જમીન ખેડી તેને વાવણી લાયક બનાવી રહ્યો છે.

in-sihore-panthak-the-world-is-busy-preparing-for-sowing

જેમાં અનેક ખેડૂતો હજુ પણ ”હાલો મારા કાળીયા અને હાલો મારા ધોળિયા”જેવી કવિતા ના શબ્દોને સાર્થક કરી અને જમીનને ખેડી રહ્યા છે.વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ખેતરમાં કામે લાગી જાય છે જેમાં હળ સાથે બળદોને જોડી એક શેઢે થી બીજા શેઢે મોજથી ફરતા જાય અને જમીન ખેડતા જાય છે .જયારે અનેક ખેડૂતો કે જે બળદની જગ્યાએ ઝડપી જમીન ખેડવાનું કામ પૂર્ણ થાય તે માટે ટ્રેક્ટર દ્વારા ખેડી ને ખેતી કરે છે .ટ્રેક્ટર ના પાછળના ભાગે ત્રણ કે પાંચ દાંતા વાળું હળ જોડી જમીનનું ખેડાણ કરે છે .તેઓ વાવણી ની તૈયારી તો હોંશે હોંશે કરી રહ્યા છે પરંતુ આ વિસ્તારમાં ખેતી સંપૂર્ણ વરસાદ પર આધારિત છે.

in-sihore-panthak-the-world-is-busy-preparing-for-sowing

જો પુરતો વરસાદ પડે અને જમીનના પાણીના તળ ઉચા આવે તો જ કુવા કે બોરિંગ દ્વારા ઉભા પાકને વધારાનું પાણી આપી શકે અથવા તો આગતર વાવણી કરી વહેલો પાક લઇ શકાય પરંતુ હાલ તળમાં પાણી ખૂટ્યા છે ત્યારે ખેડૂતો વરસાદની ૨૫ જુનથી કાગડોળે રાહ જોશે.આ વિસ્તારની જમીન ખુબજ ઉપજાવ જમીન હોય અને જેમાં શિયાળો-ચોમાસું બંને પાક લઇને મગફળી-કપાસ-તલ-જુવાર-બાજરી-અજમા-મગ-ઘઉં જેવા પાકો નું મબલક ઉત્પાદન કરી શકાય તેમ છે.પરંતુ તેના માટે જરૂરી પાણીનો અભાવ હોય ખેડૂતો સારો વરસાદ અને પાણીના તળ આખું વરસ ઉચા રહે તેવી આશા રાખી રહ્યા છે ભાવનગર જીલ્લાનો અનેક વિસ્તાર કે જ્યાં કેનાલ દ્વારા પાણી પહોચે તો અનેક ઉપજાવ જમીનમાં ખુબ સારા પાક મેળવી શકાય તેમ છે.જેના માટે સૌની યોજનાની સાથે સરકાર કેનાલો દ્વારા પાણી ખેડૂતો ને આપે તે જરૂરી છે .

Advertisement
error: Content is protected !!