Gujarat
ભાવનગર જિલ્લા NSUI મેદાનમાં, પોલીસ અધિકારી સામે પગલાં ભરવાની માંગ

પવાર
રાજકોટ એન.એસ.યુ.આઈના હોદેદારો સાથે પોલીસ અધિકારી દ્વારા કરાયેલ દબંગગિરી સામે પગલાં ભરવા ગુહમંત્રી ને કરાઈ રજૂઆત ; ભાવનગર જિલ્લા એન.એસ.યુ.આઈ પ્રમુખ બલોચ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું
રાજકોટ પોલીસની ગેર વર્તુણુંકને લઈને આજે ભાવનગર જિલ્લા પોલીસ વડા ને એન.એસ.યુ.આઈ જિલ્લા પ્રમુખ અર્ષમાન બલોચ દ્વારા આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ શહેર પોલીસની ખોટી દબંગ ગિરી આજકાલ પેપરમાં દેખાઈ રહી છે. જેમાં ગઈ કાલે રાજકોટ ઇન્દિરા સર્કલ ખાતે ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ દ્વારા જુનિયર ક્લાર્કના પેપરના વિરોધમાં પૂતળાને ફાંસી આપીને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના વિરોધમાં અંદાજે ૨૦ થી વધુ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
આ અટકાયત બાદ પોલીસ ઓફિસર દ્વારા તમામ કાર્યકર્તાઓને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ કાર્યકર્તાઓને રાજકોટ શહેર થી ૩૦ કિલોમીટર દૂર બામણબોર પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા, તેમ છતાં તમામ કાર્યકર્તા દ્વારા પોલીસ તંત્રને પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે કુવાડવા બામણબોર પોલીસ સ્ટેશન થોડી વાર પછી બામણબોર)પોલીસ સ્ટેશનના પી.આઇ. ઝનકાટ દ્વારા એન.એસ.યુ.આઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાથે અત્યંત ગેરવર્તન કર્યું અને ગાળો ભાંડી હતી અને આગેવાન માનવ સોલંકીને બધાથી એક તરફ લઈ જઈ જ્ઞાતિ વિરુદ્ધ બેફામ શબ્દો બોલી હડધૂત કરી ગાળો ભાંડી. લોકશાહી ઢબે આંદોલન કરી હતી અને અટકાયત કરવામાં આવી હતી જેમાં અહીંયાં એરપોર્ટ ચોકી એ લઇ આવતા તમામ આગેવાનો ને દબાવી બેફામ ગાળો આપી ભાજપના ઇશારે કામ કર્યું હતું. જેથી ત્યાં જ પોલીસ ચોકી ખાતે એન.એસ.યુ.આઈ ના તમામ કાર્યકર્તાઓ ભૂખ હડતાલ પર બેઠા છે.તો આવા અધિકારી વિરુદ્ધ કાયદાકીય પગલા ભરવા માંગ કરવામાં આવી હતી.