Connect with us

Sihor

સિહોરની ગૌતમ તળાવ છલકાય તે પહેલાં ગૌતમી નદી (ઉતરા વાહિની)નદીની યુદ્ધના ધોરણે સફાઈ થવી જરૂરી

Published

on

gautami-river-needs-to-be-cleaned-on-a-war-footing-before-the-gautama-lake-in-sihore-gets-flooded

કુવાડીયા

  • તંત્રને ટકોર… પાણી પહેલા પાળ બંધાશે ?
  • ધાર્મિક દ્રષ્ટિએ પણ (ઉતરા વાહિની) ગૌતમી નદી સિહોરની આધ્યાત્મિક કક્ષામાં વધારો કરે છે

વરસાદ અધિક માસમાં શ્રીકાર વર્ષા વરસાવી રહ્યો છે ત્યારે મોટા ભાગના ડેમો અને જળાશય છલક સપાટી આંબી રહ્યા છે. ત્યારે સિહોરનું ગૌતમ તળાવ પણ છલક સપાટીએ પહોંચ્યુ છે ત્યારે ગૌતમી નદી (ઉતરા વાહિની) પૌરાણિક ગૌતમેશ્વર મહાદેવ ના પટાંગણમાં થઈને વહેતી થાય છે એ નદી આગળ જતાં જાડી જાખરા અને ગંદકી થી ભરાઈ ગઈ છે. હાલ ગૌતમેશ્વર તળાવ ની સપાટી 23 ફૂટ ઉપર ધીમીધારે આગળ વધી રહી છે.

gautami-river-needs-to-be-cleaned-on-a-war-footing-before-the-gautama-lake-in-sihore-gets-flooded

ત્યારે જો તળાવ ઓવરફ્લો થશે તો ગૌતમી નદીમાં (ઉતરા વાહિની) ઘોડાપુર આવશે અને જાડી જાખરા ને કચરા ની આડશ ને લઈને પાણીને આગળ જવાનો રસ્તો નહિ મળે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ઘુસી શકે છે અને તબાહી સર્જાઈ શકે છે. ત્યારે પાણી પહેલા પાળ બાંધવાનો સમય ચુકી ગયા છીએ શંખનાદે પણ અવાર નવાર નદી ચોખ્ખી કરવા તંત્ર નુ ધ્યાન દોર્યું છે નદીના વિશાળ પટ ને સાફ કરવા જેસીબી જેવા મોટા સાધનોને યુદ્ધના ધોરણે મેદાને ઉતારી ગૌતમી નદી ની સફાઈ ઝુંબેશ તાકીદે શરૂ કરવી જ રહી.

gautami-river-needs-to-be-cleaned-on-a-war-footing-before-the-gautama-lake-in-sihore-gets-flooded

વિશેષ માં ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો કાશીમાં ગંગાજી ઉત્તર દિશામાં વહે છે એટલે તે ઉતરવાહીની કહેવાય છે જેના લીધે કાશી નગરી સ્થાન અનેક ગણું મહત્વ ધરાવે છે ત્યારે સિહોર પણ છોટેકાશી તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે અને બહુજ ઓછા લોકોને કદાચ ખબર હશે કે ગૌતમી નદી પણ ઉત્તર દિશામાં વહે છે એ જેને લઈને સિહોરનું ધાર્મિક દ્રષ્ટિએ આધ્યાત્મિક મહત્વ વધારી રહી છે ત્યારે પાલિકા તંત્ર સાથે સિહોરીજનોની પણ આપણી પવિત્ર ગૌતમી નદીને સ્વચ્છ રાખવી આપણો ધર્મ છે. ત્યારે તળાવ છલકાય અને વાત હાથમાંથી જતી રહે તે પહેલાં જાગીને કામે લાગવું જરૂરી છે

error: Content is protected !!