Sihor
ધૂળેટીનું પર્વ લોહીથી ખરડાયું : સિહોરના પાંચવડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી – 5 થી 6 લોકો ઘાયલ

દેવરાજ
કોઈ કારણોસર દલિત અને સુવારા સમાજના લોકો વચ્ચે સર્જાય મારામારી, રંગના પર્વે કલરની જગ્યાએ લાકડી અને હથિયારો ઉડયા, પોલીસ કાફલો દોડી ગયો, ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
આજે સિહોરમાં ધુળેટી પર્વની ઉજવણી થઈ રહી હતી ત્યારે જ સવારે 10 વાગ્યા આસપાસ પાંચવડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ છે જેમાં 5 થી 6 લોકો ઘાયલ થયા હતા જેઓને સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, એક તરફ શહેરમાં ધુળેટી પર્વ ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાય રહ્યો હતો બાળકોથી માંડી મોટેરાઓ રંગે રંગાઈને ધુળેટીના આ પર્વને ઉજવી રહ્યા હતા તે વેળાએ સમાચાર મળ્યા કે સિહોરના પાંચવડા વિસ્તારમાં કોઈ બબાલ થઈ છે.
દલિત અને સુવારા સમાજના લોકો વચ્ચે અથડામણ સર્જાય હતી, જેમાં 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર માટે 108 મારફત સિહોરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈ સિહોર પોલીસના પીઆઇ ભરવાડ સહિતનો કાફલો દોડી ગયો હતો, અહીં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા, અહીં ક્યાં કારણોસર મારામારી સર્જાઈ તે જાણી શકાયું નથી, પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે