Sihor
કોંગ્રેસે ઓબીસી સમાજનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો ; મયંકભાઈ નાયક
![Congress used the OBC community only as a vote bank; Mayankbhai Nayak](https://shankhnadnews.com/wp-content/uploads/2023/08/4-10.jpg)
બ્રિજેશ
સિહોર ખાતે જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાનું સંમેલન યોજાયું, ટાઉનહોલ ખાતે યોજાયેલ સંમેલનમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંકભાઈ નાયક, યોગેશભાઈ ગઢવીની વિશેષ ઉપસ્થિતિ
સિહોર ખાતે ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચા અઘ્યક્ષ મયંકભાઈ નાયકના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાનું સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીને લઇ સંમેલનમાં ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા.
સિહોરના ટાઉનહોલ ખાતે યોજાયેલ સંમેલનમાં મયંકભાઈ નાયકે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં તમામ સમાજને ધ્યાનમાં રાખી કયાંય અન્યાય થવા દીધો નથી. જ્યારે કોંગ્રેસની સરકારે ઓબીસી સમાજનો માત્ર વોટબેંક તરીકે જ ઉપયોગ કર્યો હતો.જે રાજ્યોમાં ભાજપની સરકાર છે. ત્યાં તમામ સમાજનું હિત જાળવી સામાજિક સમરસતાનું ઉત્તમ કામ પણ ભાજપની સરકાર કરે છે. તો વધુમાં ઓબીસી માં આવતા તમામ વર્ગોને સરકારના મળતા લાભો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સંમેલનમાં ખાસ ઉપસ્થિત યોગેશ ગઢવીએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર પ્રથમ, જે રાષ્ટ્રનું ગૌરવ કરીએ છીએ એ રાષ્ટ્રના આપણે સંતાન છીએ, એ આપણું ગૌરવ છે.
આ દેશ જ્યારે વિશ્વમાં મજબૂત થતો જાય છે તેમ વિદેશી તાકાતો દેશને તોડવાની હીન પ્રવૃત્તિ કરે છે, આ દેશનો સપૂત કે જેની તરફ સમગ્ર વિશ્વની મીટ છે એવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું રાષ્ટ્ર માટે સમર્પિત જીવન આપણા સૌના માટે પ્રેરણા, ઉર્જા અને શક્તિ આપનારૂ છે. સિહોર ખાતે યોજાયેલા આ સંમેલનમાં દિવ્યેશ સોલંકી, વિક્રમભાઈ નકુમ, ઉમેશ મકવાણા, ભલાભાઈ ચાવડા, કમલેશ ઉલવા, બાબુભાઇ મેર, દિપક લકુમ સહિત જિલ્લાભરમાંથી બક્ષીપંચ મોરચાના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.