Connect with us

Gujarat

સાબરમતી આશ્રમે નમન કરીને કાર્યભાર સંભાળીશ, તમે બધા પણ આવજો”: શક્તિસિંહ ગોહિલ

Published

on

Bow down to Sabarmati Ashram and take charge, all of you also come”: Shaktisinh Gohil

કુવાડિયા

રવિવાર અને 18 જૂને પગપાળા પદભાર સંભાળવા જશે શક્તિસિંહ ગોહિલ, ચાર્જ સંભાળતા પહેલાં જ ભાજપને ફેંક્યો પડકાર, ભાજપના ગેરશાસન સામે કોંગ્રેસ ‘પ્રજાનો અવાજ’ઉભો કરશે : શકિતસિંહ

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની જાહેરાત થયા પછી હવે પહેલીવાર મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે પોતે સાબરમતી આશ્રમે નમન કરીને કાર્યભાર સંભાળશે. તેમણે લોકોને પણ અહીં આવવાનો આવકારો આપ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ પ્રમુખ તરીકે પોતે આગામી સમયમાં ખેડૂતો, દલિતો, મોંઘવારી, રોજગારી સહિતના મુદ્દાઓ પર આગળ વધશે. ઉપરાંત તેમણે પક્ષના નેતા, કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાની વાત પણ કરી હતા. વધુમાં કહ્યું કે, હું પક્ષનો સૈનિક છું, સેનાપતિ જવાબદાર નક્કી કરે છે. વિચાર મંથન બાદ મને જવાબદારી સોંપી છે. મે આ નિર્ણયને હ્રદયપૂર્વક આવકાર્યો છે. જે મતદારોએ મને પ્રતિનિધિ બનાવ્યો તેમનો આભાર માનું છું. આ લડાઇ ગુજરાતની અસ્મિતાના પુનઃ સ્થાપનાની છે. વ્યક્તિગત સ્વાર્થથી ઉપર કામગીરી રહેશે.

Bow down to Sabarmati Ashram and take charge, all of you also come”: Shaktisinh Gohil

તેમણે કહ્યું કે, ફિક્સ પગાર,રોજગારી,ખેડૂત,નાના વેપારીની સમસ્યાના મુદ્દાને લઈ રાજ્યની જનતાનો સહયોગ માંગુ છું. 18મી જૂને 10 કલાકે ગાંધી આશ્રમ ગાંધીજીના ચરણોમાં નમન કરી, પગપાળા પદભાર સંભાળવા જઈશ. શક્તિસિંહે આગળ કહ્યું કે, મુદ્દા આધારિત ચૂંટણી હોવી જોઈએ. અમે લોકો વચ્ચે જઈશું.જગ્યા ખાલી છે અને યુવાનોને નોકરી નથી મળી રહી. ગેસનો બાટલો,પેટ્રોલ,ડીઝલ અને મોંઘવારીના મુદ્દા સાથે સકારાત્મક વલણ સાથે કામ કરીશું. હું જૂથબંધીવાળો રાજકારણી નથી. મારી જોડે આવો અને ખુલ્લા મને ચર્ચા કરો.કોંગ્રેસમાં ક્યારેય કોઈનો અસ્વિકાર નથી, બધાને આવકાર છે પણ બળજબરી પૂર્વક નહીં. કેટલાક નેતાઓ સાથે મારા અંગત સંબધ પણ છે. કોંગ્રેસના કાર્યકાળમાં નકકી વિકાસ થયો છે. હું કેટલાક લોકોને ઓળખું છું, કે તેમને નથી જવું હોતું પણ મજબૂરીથી, ધાક ધમકીથી તેમને લઈ જવામાં આવે છે. અમે તોડજોડની રાજનીતિમાં નથી માનતા. ભાજપના 2 જ સંસદ સભ્ય હતા, એમના ઘરે ઇડી,આઇટી વગેરે મોકલી ન હતી. જૂથબંધી પડકાર નથી, કેમ કે હું જુથબંધીમાં માનતો નથી. ભાજપ જેવું સર મુખત્યારશાહી જેવું નથી. યુપીએના 10 વર્ષના શાસનમાં જે કહ્યુ હતું તે કામ અમે કર્યું હતું. અમે મનરેગા, RTE, RTI લાવ્યા. શક્તિસિંહે ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે, જો અમે ભ્રષ્ટાચાર કર્યો હોય તો કોંગ્રેસના નેતાને જેલમાં નાખો, 9 વર્ષથી તમારી જ સરકાર છે.

Advertisement
error: Content is protected !!