Bhavnagar
ભાવનગર : તળાજાની મુસ્લિમ સમાજની દિકરી સી.એ.માં જિલ્લા કક્ષાએ બીજા ક્રમે

પવાર
તાજેતરમાં સી.એ. ની ફાઇનલ પરીક્ષાના જાહેર થયેલા પરીણામમા ભાવનગર જિલ્લા માંથી 15 વિદ્યાર્થીઓ પાસ થયેલ.તેમા જિલ્લામાં બીજો ક્રમાંક મેળવનાર સબાફાતેમા કાઝીમભાઈ ભૂરાણી તળાજા ના છે. તેઓ તળાજામા વસતા મુસ્લિમ સમાજના પ્રથમ દીકરી છે જેઓએ પ્રથમ ટ્રાઈ એજ સી.એ જેવી અઘરી પરીક્ષા પાસ કરી છે. આ એક પરીક્ષા એવીછે જેમાં જ્ઞાતિ કે સમાજ લક્ષી કોઈજ આરક્ષણ મળતું નથી. પોતાનામાં રહેલ જ્ઞાન ના આધારે જ ભાવિ નક્કી થાય છે. સબાફાતેમા એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અહીંની સરકારી ગ્રાન્ટેડ ચેતનસિંહ વાળા ના અધ્યક્ષ સ્થાને ચાલતી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ફ્રી માં લીધું છે.તે સમયે પણ પ્રથમ ક્રમાંક આવેલ.
નાનપણથીજ દાદા ના ચાર્ટડ એકાઉન્ટ બનવા ના સ્વપ્ન સાકાર કરવા માટે સી.એ નું ફાઉન્ડેશન અલ મહેંદી સ્કુલ ભાવનગર મા કરેલ.તેમાં સારા માર્ક્સ મેળવી મજબૂત ઇરાદાઓ સાથે પરિવાર જનોની ગાઈડ લાઈન સાથે સિલેબસ અને ઓનલાઈન માધ્યમથી ઘર બેઠાજ દરરોજ ની 8 થી 10 કલાક મહનેત કરી.સાથે ભાવ.યૂની માંથી બી.કોમ પણ કરતા ગયા. એક દીકરી તરીકે માતા પિતા નું સતત પ્રોત્સાહિત વલણને લઈ સી.એ ની પરીક્ષામાં જ્વલંત સિદ્ધિ હાંસલ કરી. તેઓએ દરેક વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વાલીઓ ને સંદેશ આપતા જણાવ્યું હતુ કે આજે શિક્ષણ પદ્ધતિ બદલાઈ છે.ઓન લાઈન શિક્ષણ હવે મહત્વનું બન્યું છે.સાથે વાલીઓ એ દીકરા દીકરી વચ્ચેના ભેદભાવ ભૂલી ને દીકરીઓને પણ એક નહિ પરંતુ બે પરિવાર ના ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસ ને લઈ પ્રોત્સાહન આપવું જરૂરી છે.