Bhavnagar
ભાવનગર ; મફતનગર મોતનો મામલો ગરમાયો ; એકના મોત મામલે મેવાણીએ સરકાર પર કર્યા પ્રહાર

પવાર ; બરફવાળા
શક્તિસિંહે ટ્વીટ કરી મુખ્યમંત્રીને કરી રજુઆત, મફતનગરના વૃદ્ધના મોતના આક્ષેપ સાથે મૃતદેહ સ્વીકારવા પરિવારજનોનો ઇનકાર, કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દોડી આવી છેક સુધી લડી લેવા કરી જાહેરાત, કમિશ્નર અને ભાજપના શાસકોએ મળી ગરીબોને બેઘર કરવાનો કારસો રચ્યો હોવાના સણસણતા આક્ષેપો કર્યા
ભાવનગરના મફતનગરના વિવાદમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે જેને મામલો ગરમાયો છે. વૃદ્ધનું મૃત્યુ થતા જીજ્ઞેશ મેવાણી હોસ્પિટલ દોડી આવી કમિશનર સામે ગુનો નોંધવા માંગ કરી છે. આ સાથે અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપ કર્યા છે. જો કે કમિશનરે વળતો જવાબ પણ આપ્યો છે. ભાવનગર શહેરના 14 નાળા વિસ્તારમાં આવેલા મફતનગરના રહીશોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવી દેવામાં આવતા મફતનગર ના રહીશો રોસે ભરાયા હતા અને મહાનગરપાલિકા નો ઘેરાવો સહિતના આંદોલનનો આરંભ કરી દીધો હતો ત્યારે મફત નગર વિસ્તારમાં રહેતા યુસુફભાઈ બેરૈયા ઉંમર વર્ષ નું ઘરે હૃદય રોગનો હુમલો આવતા હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું વૃદ્ધના મોતને કારણે મામલો ગરમાયો હતો અને મફતનગરના રહીશો અને પરિવારજનોએ વૃદ્ધનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો હાલ હોસ્પિટલ ખાતે મફતના નગર રહીશોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. નાળા પાસે મફતનગરને મહાનગરપાલિકાએ નોટિસ આપ્યા બાદ ગઈકાલે મોટી સંખ્યામાં ધસી આવેલા ટોળામાં એક શખ્સનું મૃત્યુ થયું હતું.
જેને લઈને રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભાવનગર સર ટી હોસ્પિટલ મૃતકના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. કમિશનર સામે ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે અન્ય અધિકારીઓ સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે મફતનગરમાં મહાનગરપાલિકાના છ પ્લોટના પગલે 260 મુજબ નોટિસો આપવામાં આવી છે, ત્યારે 29 તારીખના રોજ મોટી સંખ્યામાં સ્થાનિકો મહાનગરપાલિકાની કચેરીએ ધસી આવ્યા હતા. કમિશનર સાથે વાર્તાલાપ દરમિયાન ઝૂપડપટ્ટી વસાહત સમયે આગેવાનોની હાજરીમાં યુસુફભાઈ અહેમદભાઈ ડેરૈયા નામના વૃદ્ધની મહાનગરપાલિકામાં તબિયત લથડતા ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. યુસુફભાઈના પુત્રે મૃત્યુનું કારણ કમિશનરને ગણાવી દીધા હતા, ત્યારબાદ બીજા દિવસે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભાવનગર સર ટી હોસ્પિટલ પહોંચ્યા અને મામલો ગરમાયો છે
મેવાણીનો લલકાર ; હું ફરિયાદી બનીશ
ગાંધીનગરમાં બેઠેલી ભાજપની સરકાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના વારસાને ભૂસવા બેઠી હોય તેમ અમાનવીય વર્તન કરી રહી છે. કોળી પટેલ, અને અન્ય બીજા ગરીબ લોકો 45 વર્ષથી ઝૂંપડપટ્ટીમાં વસવાતો કરી રહ્યા છે તેને ખસેડવા માંગે છે. મહાનગરપાલિકાએ ત્યાં જ ટેક્સ ઉઘરાવે છે. પાણીની લાઈન પણ આપેલી છે, ગટર વ્યવસ્થા છે અને મધ્યમ વર્ગના હોવા છતાં પણ આ લોકોને હટાવવા પ્રયત્ન થઈ રહ્યો છે. જોકે 1480 પહેલાની જે નોટિસ છે. તેને લઈને મારી પાસે માહિતી છે. તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી. ટીડીઓ અને એસ્ટેટ અધિકારીના નજીકના સગાઓ રિયલ એસ્ટેટમાં બિલ્ડર તરીકે કામ કરી રહ્યા છે. TDOના એક સરકારી અધિકારી અને બિલ્ડર માફિયાના દ્વારા બોગસ દસ્તાવેજ બનાવી સરકારી આવાસોમાં પણ મકાનો મેળવી લીધા છે. હું ફરિયાદી બનવા માટે તૈયાર છું. કોર્ટના આદેશ મુજબ વૈકલ્પિક વ્યવસ્થા ન હોય ત્યાં સુધી ઝૂંપડપટ્ટી વાસીઓને હટાવી શકતા નથી
શક્તિસિંહ ગોહિલે મુખ્યપ્રધાનને કરી રજુઆત
14 નાળાની મફતનગરને વસાહતને નોટિસ આપવા ગયેલા અધિકારીઓએ સ્થાનિક લોકો સાથે ઘર્ષણ કર્યા બાદ ગુજરાતના કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને મુખ્યપ્રધાનને રજૂઆત કરીને જણાવ્યું છે કે 14 નાળા પાસે 300 પરિવારો વર્ષોથી વસવાટ કરે છે . કુદરતના ન્યાય વિરુદ્ધ નોટિસો આપવામાં આવી છે ત્યારે ગરીબ લોકોને વૈકલ્પિક માનવતાના ધોરણે વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ કરી છે.